મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી


SHARE











મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી

મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા  સંકલ્પ નવરાત્રીનું છેલ્લા ૧૪ વર્ષથી આયોજન કરવામાં આવે છે  ત્યારે આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે

મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આ વર્ષે લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં સંકલ્પ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને નવરાત્રી મહોત્સવમાં તમામ સમાજના લોકો એક સાથે રાસ ગરબે રમી શકે તેવુ આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર સુધી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું છે ત્યાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈબરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે. અહી વિશાળ સ્ટેજઆધુનિક સાઉન્ડ સિસ્ટમતેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળાપરિવાર સાથે તેમજ  જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે.






Latest News