મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી


SHARE











મોરબીમાં સંકલ્પ નવરાત્રિનું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન: બેહનોને ફ્રી એન્ટ્રી

મોરબીમાં યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા  સંકલ્પ નવરાત્રીનું છેલ્લા ૧૪ વર્ષથી આયોજન કરવામાં આવે છે  ત્યારે આ વર્ષે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બહેનોને ફ્રી એન્ટ્રી આપવામાં આવી છે

મોરબીના યંગ ઇન્ડિયા ગૃપ દ્વારા આ વર્ષે લીલાપર કેનાલ રોડ પર કેશવ પાર્ટી પ્લોટમાં સંકલ્પ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અને નવરાત્રી મહોત્સવમાં તમામ સમાજના લોકો એક સાથે રાસ ગરબે રમી શકે તેવુ આયોજન કરવામાં આવેલ છે અને તેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. આગામી ૨૬ સપ્ટેમ્બરથી ૫ ઓકટોબર સુધી સંકલ્પ નવરાત્રી મહોત્સવનું  કેશવ પાર્ટી પ્લોટમાં આયોજન કર્યું છે ત્યાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈબરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવશે. અહી વિશાળ સ્ટેજઆધુનિક સાઉન્ડ સિસ્ટમતેમજ ટ્રેડિશનલ ડ્રેસવાળાપરિવાર સાથે તેમજ  જનરલ એમ ત્રણ જેટલા ગ્રાઉન્ડ રાખવામાં આવ્યા છે અને વિજેતાઓને ઈનામ પણ આપવામાં આવશે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે સર્વ સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવા આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. તેમજ બહેનો અર્વાચીન રાસોત્સવની સાથે પ્રાચીન ઢબે માતાજીની આરાધના કરવાની પરંપરા સાથે દેશ ભક્તિનો માહોલ ઉભો કરાશે.






Latest News