મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત


SHARE











મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધે આર્થિક સંકળામણને લઈને એસિડ પી લીધું હતું.જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધમું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધુળકોટીયા જાતે પ્રજાપતિ નામના ૬૧ વર્ષીય આધેડ બે દિવસ પહેલા એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ ગઇકાલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ રાજકોટ જઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મગનભાઈ ધૂળકોટીયાએ હોમ લોન લીધેલ હતી અને હાલ તેમને આર્થિક સંકળામણ હોય તેના લીધે લોનના હપતા ચડત થઈ ગયા હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કાદર મામદભાઈ રાહીજા (૪૭) અને હાજી મામદભાઈ રાહીજા (૩૫) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં દેવરાજભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જવાથી સતીબેન હીરાભાઈ વાઘેલા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા મૈયાબેન મૂળજીભાઈ ઉકેડીયા નામની ૨૫ વર્ષની મહિલા ગામના રામજી મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News