મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત


SHARE











મોરબીમાં આર્થિક સંકળામણથી એસિડ પી ગયેલ વૃદ્ધનું મોત

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધે આર્થિક સંકળામણને લઈને એસિડ પી લીધું હતું.જેથી તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધમું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ લક્ષ્મણભાઈ ધુળકોટીયા જાતે પ્રજાપતિ નામના ૬૧ વર્ષીય આધેડ બે દિવસ પહેલા એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.જયાં ટુંકી સારવાર બાદ ગઇકાલે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ રાજકોટ જઈ તપાસ હાથ ધરતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે મૃતક મગનભાઈ ધૂળકોટીયાએ હોમ લોન લીધેલ હતી અને હાલ તેમને આર્થિક સંકળામણ હોય તેના લીધે લોનના હપતા ચડત થઈ ગયા હોય અને આર્થિક સંકળામણ રહેતી હોય તેને લઈને તેઓએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું.

મારામારીમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કાદર મામદભાઈ રાહીજા (૪૭) અને હાજી મામદભાઈ રાહીજા (૩૫) નામના બે યુવાનોને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં દેવરાજભાઈની વાડીએ કામ દરમિયાન સાપ કરડી જવાથી સતીબેન હીરાભાઈ વાઘેલા નામના ૬૫ વર્ષીય વૃદ્ધાને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે રહેતા મૈયાબેન મૂળજીભાઈ ઉકેડીયા નામની ૨૫ વર્ષની મહિલા ગામના રામજી મંદિર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા તે દરમિયાન તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઈજાઓ થવાથી તેઓને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News