હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા


SHARE











વાંકાનેરમાં મિત્રની રૂપિયાની લેતીદેતી બાબતે સ્થળ ઉપર ગયેલા યુવાનને છરીના આડેધડ ઘા ઝીકિને હત્યા

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે રૂપિયાની લેતીદેતી બાબતે મારમારીનો બનાવ બન્યો હતો ત્યારે જે વ્યક્તિને રૂપિયા આપવાના હતા તેની બદલે વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતો યુવાન આબયો હતો અને તેની સાથે બોલાચાલી થયેલ હતી બાદમાં તે યુવાનને છરીના બે શખ્સો દ્વારા જીવલેણ ચાર થી વધી ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક શનિવારે મોડીરાત્રીના મારામારીના બનાવ બન્યો હતો જેમાં અમરનાથ સોસાયટીમાં ગજાનંદ ઇન્ડસ્ટ્રીઝ વાળા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા (૩૮) નામના યુવાનને છરીના ઘા ઝીકિ દેવામાં આવ્યા હતા જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે વાંકાનેરના પીઆઇ એન.કે.વસાવા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મૃતક અમિતભાઈના મિત્ર સાથે ઈમરાન અને ઇનાયત નામના બે શખ્સોની પૈસાની લેતીદેતી થયેલ હતી અને ઈમરાન તેમજ ઇનાયતને રૂપિયા લેવાના હતા જેથી કરીને અમિતભાઈ તેના મિત્રના બદલે બનાવ વાળી જગ્યાએ આવ્યા હતા ત્યારે બોલાચાલી થયેલ હતી અને તે સમયે અમિતને ઈમરાન તેમજ ઇનાયત સહિતના ચારેક શખ્સો દ્વારા છરી સહિતના તીક્ષ્ણ હથિયરના ઘા ઝીકી દીધા હતા જેથી કરીને અમિતભાઈનું મોત નીપજયું છે અને હત્યાના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને ઈમરાન તેમજ ઇનાયત સહિતના આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News