મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત


SHARE







મોરબીના યુવાનનું સામખીયારી નજીક ડૂબી જવાથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપરમાં રહેતો યુવાન માળીયા(મિં.) નજીક આવેલ કચ્છના સામખયારી નજીક માછીમારી કરવા માટે ગયો હતો અને ત્યાં તે પાણીમાં તણાઈ જઇ ડૂબી જતા યુવાનનું મોત નીપજતા તેના કોહવાઇ ગયેલા મૃતદેહને મોરબી બાદ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડાયાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર વિસ્તારમાં શંકર મંદિરવાળી શેરીમાં રહેતો કિરણભાઈ વીરજીભાઈ વરાણીયા જાતે કોળી નામનો ૨૧ વર્ષનો યુવાન સામખયાળીના પુલ પાસે ડૂબી જતા તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જોકે ડેડબોડી ઉપર ઈજાના નિશાન હોય તેમજ ડેડબોડી કોહવાઈ ગયેલ હોવાથી મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી હોય તેવો પાસેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતક કિરણભાઈ વરાણીયા માછીમારી કરવા માટે સામખયારી પુલ નજીક ગયો હતો અને ત્યાં પાણીમાં તણાઈને ડૂબી જવાથી તેમનું મોત નીપજયુ હતુ.

વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટું ગામે રહેતો અમિત ઈશ્વરભાઈ ગોસાઈ નામનો ૧૭ વર્ષીય યુવક બાઈક લઈને જતો હતો ત્યારે હળવદ હાઇવે ઉપર તેના બાઇકને બસ ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્ત થયેલા અમિતભાઈને મોરબી ખાતેની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો અને બાદમાં તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો છે બનાવને પગલે હાલમાં જે.એમ.જાડેજા તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના ધક્કાવાળી મેલડી માતાના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા જયેશ કાંતિભાઈ બામણીયા નામના ત્રીસ વર્ષીય યુવાનને સારવારમાં ખસેડાયો હતો.

ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા ગંગાબેન નારણભાઈ નાથાણી નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાએ બીમારી સબબ તેઓના ઘેર ફિનાઈલ પી લેતા તેમને સિવિલે સારવારમાં ખસેડાયા હતા.હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળની માળિયા-વનાળીયા સોસાયટીમાં રહેતા દિવ્યાબેન અનિલભાઈ રાઠોડ નામની ૨૬ વર્ષીય પરણીતાને તેના પતિએ સરદાર બાગ પાસે માર મારતા તેણીને સારવારમાં ખસેડાયા હોવાનું પોલીસે જણાવેલ છે






Latest News