મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીથી સારવાર માટે રાજકોટ ખસેડાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

મોરબીના ગાંધીચોક નજીક રહેતા અને મૂળ અમદાવાદના પટેલ વૃદ્ધને સારવાર માટે મોરબીથી રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના જયપાસસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ગાંધીચોક વિસ્તાર નજીક રહેતા અને જયાં ત્યાં ભટકીને ભિક્ષુક જેવું જીવન વિતાવતા ચંદુભાઈ છગનભાઈ પટેલ (ઉમર ૬૦) કે જેઓ મૂળ અમદાવાદના રહેવાસી હોવાનું બાદમાં જાણવા મળેલ છે તેઓને ગત તા.૧-૯ ના રોજ બીમારી સબબ મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એકાદ દિવસની સારવાર બાદ તા.૨-૯ ના રોજ તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જયાં સારવાર દરમિયાન આજે તા.૬-૯ ના વહેલી સવારે સવા બે વાગ્યાના અરસામાં ચંદુભાઇ પટેલનું મોત નિપજયુ હતુ અને તેઓના અમદાવાદ ખાતે રહેતા સંબંધીઓને જાણ કરવામાં આવતા તેઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતા.

મારામારીમા ઈજા

મોરબીની લુહાર શેરી કુબેરનાથ મહાદેવના મંદિર પાસે રહેતા મહેન્દ્રભાઈ મેરૂભાઈ ચૌહાણ નામના ૪૬ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબીની મોચીશેરીમાં રહેતા નંદલાલભાઈ ગગજીભાઈ ચૌહાણ નામના ૭૨ વર્ષના વૃદ્ધને પણ મારામારીના બનાવમાં ઈજા થતા તેમને પણ સિવિલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મુનાફ હનીફભાઈ મકરાણી નામના ૧૦ વર્ષના બાળકને મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.જયારે મોરબીના વાંકાનેર દરવાજા પાસે મેઇન રોડ નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલ વાસુરભાઈ રાજાભાઈ બોરીચા નામના ૬૦ વર્ષીય આધેડને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે મસ્જીદ વિસ્તારમાં રહેતા રમઝાન સીદીકભાઈ હિંગરોજા નામનો ૩૨ વર્ષનો યુવાન આડેસર ગામના પીએચસી પાસેથી બાઈક લઈને પસાર થતો હતો તે દરમિયાનમાં તે નિચે પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો






Latest News