હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

માળીયા (મી)નાં ખીરઇ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)નાં ખીરઇ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ઇજા: ગુનો નોંધાયો

માળીયા તાલુકાનાં ખીરઇ ગામના પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બે વ્યક્તિઓને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા તાલુકાનાં વીર વીદરકા ગામે રહેતા લાલદાસ મનસુખભાઇ વૈષ્ણવ જાતે રામાનંદી સાધુ (૨૪)એ ટ્રક નંબર જીજે ૧૨ એયુ ૬૨૬૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૦૬/૦૮/૨૦૨૨ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરશામા મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર ખીરઇ ગામના પાટીયા પાસેથી આરોપી પોતાના હવાલા વાળો ટ્રક લઈને જતો હતો ત્યારે ફરીયાદીના મોટર સાઇકલ જીજે ૨૭ ડીએ ૭૭૨૪ ને હડફેટે લીધું હતુ જેથી કરીને નીચે પડી જવાથી ફરિયાદીને ડાબા ગાલે, માથામા, છાતીમા તથા દાઢીએ ઇજા થઈ હતી અને સાહેદને જમણા પગમા નળાના ભાગે તેમજ માથામા જમણા લમણામા ફેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News