મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના સીટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, રાજકોટના શખ્સ સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના સીટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ, રાજકોટના શખ્સ સામે નોંધાયો ગુનો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તેમના પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતા એક ફકીર પરિવારની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે રાજકોટ ખાતે રહેતો શખ્સ અપહરણ કરી ગયેલ હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતાની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્રારા ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે.

મળતી માહિતી મુજબ મોરબીના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ફકીર પરિવારની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે અપરણ કરી જવામાં આવેલ હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા કબીરગની ઉર્ફે ગણેશ સલાટ રહે.રાજકોટ શિવાજીનગર ચુનારા ચોક વાળા સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને ફરિયાદમાં તેઓના જણાવ્યા પ્રમાણે ગત તા.૨૬-૮ ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓની સગીરવયની દીકરીનું બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવામાં આવેલ છે. હાલ ભોગ બનેલ સગીરાના પિતાની ફરિયાદ નોંધીને સગીરાને શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવા માટે એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડ્યા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મહિલા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ આનંદનગર વિસ્તારમાં રહેતા અંજુબેન ભગવાનભાઈ પટેલ નામની ૩૬ વર્ષની મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે વાંકાનેર જતા સમયે લુણસર નજીક આવેલ પલાસ ચોકડી પાસે તેઓનું બાઇક સ્લીપ થઈ જતા અકસ્માતે તેઓ નીચે પડી જવાથી ઇજાગ્રસ્ત થયેલા અંજુબેનને સારવાર માટે અહિંની આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે જામનગરના જોડિયા તાલુકાના ટીંબડી ગામે રહેતો શિવમ અશ્વિનભાઈ વાંક નામનો ચાર વર્ષનો બાળક ઘરેથી હોસ્પિટલ જતો હતો ત્યારે રસ્તો ક્રોસ કરતાં સમયે અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા શિવમ વાંક નામના બાળકને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના શનાળા પાસે આવેલ રાજપર ગામે રહેતા દેવજીભાઈ ખીમજીભાઈ સનારીયા નામના ૨૮ વર્ષીય યુવાનને તેના બનેવીએ દારૂના નશાની હાલતમાં માર માર્યો હોય દેવજીભાઈને સિવિલ હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ઢુવા તા.વાંકાનેરના રેલ્વે ફાટક પાસે રહેતા અમિત ધીરજભાઈ સોલંકી નામના ૨૧ વર્ષના યુવાનને રફાળેશ્વર મહાદેવ મંદિર પાસે તા.૨-૯ ના સાંજના પાંચેક વાગ્યે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News