મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં છત ઉપરથી નીચે પટકાયેલ બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં છત ઉપરથી રમતા રમતા નીચે પડી ગયેલ બાળકીને માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે।

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ રોલેક્સ સિરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શૈલેષભાઈ વજાભાઈ ગરાસીયાની ત્રણ વર્ષની દીકરી પૂજાબેન કારખાનામાં મકાનની છત ઉપર રમતી હતી ત્યારે ત્યાંથી રમતા રમતા તે નીચે પડી ગઈ હતી જેથી કરીને પૂજાને માથાના ભાગે ગંભીર જાતે હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

વૃદ્ધનું મોત

મોરબી નજીકના ભડીયાદ ગામે આવેલ હરિઓમ પાર્કમાં રહેતા લક્ષ્મણભાઈ દેવશીભાઈ મકવાણા (ઉમર ૫૬) પ્રિયા ગોલ્ડ સીરામીક કારખાના પાસે હતા ત્યારે કોઈપણ કારણોસર તે મૃત્યુ પામતા તેના ડેડબોડીને તેનો દીકરો રાજેશભાઈ લક્ષમણભાઇ મકવાણા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરતાં એએસઆઈ જે.પી.કણસાગરા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે મૃતકને બ્રેનહેમરેજ થવાથી તેનું મોત નીપજયું છે.






Latest News