મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે


SHARE











મોરબીના સર્કિટ હાઉસમાં કાલે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને મિટિંગ યોજશે

મોરબીના સર્કિટ હાઉસ ખાતે દલિત અધિકાર સત્યાગ્રહ અનુસંધાને અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગ કાલે સવારે મોરબીના સરિકીટ હાઉસ ખાતે યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુસુચિત જાતિ વિભાગના અધ્યક્ષ એડ. દીપક પરમારે જણાવ્યુ છે કેગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા તથા એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ લીલોઠિયાની ઉપસ્થિતિમાં દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમ અમદાવાદ મુકામે થોડા સમય પહેલા લોન્ચ કરવામાં આવેલ છે આ કાર્યક્રમ મુજબ જે વિધાનસભા મતવિસ્તારોમાં દલિતોની વસ્તી વ્યાપક પ્રમાણમાં હોય તે વિધાનસભા બેઠકમાં દલિતોના મતદારો નિર્ણાયક છે. જેને ધ્યાને રાખીને દલિત અધિકાર સત્યાગ્રહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમને અનુલક્ષીને મોરબી શહેર ખાતે પણ દલિત અધિકાર સત્યાગ્રહનું એક અગત્યની મિટિંગનું આયોજન કરેલ છે. જેમાં એઆઇસીસી અનુસુચિત જાતિ  વિભાગનાનાં રાષ્ટ્રીય કોડીનેટર અને ગુજરાત પ્રભારી અનુસુચિત જાતિ વિભાગ રવિન્દ્ર દલવી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અનુસુચિત જાતિ વિભાગ ચેરમેન હિતેન્દ્ર પીઠડીયા તેમજ મોરબી જિલ્લા પ્રભારી ડો. દિનેશભાઇ પરમાર તેમજ મોરબી જિલ્લા પ્રમુખ જયંતિભાઈ જે પટેલ, ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને વાંકાનેરનાં ધારાસભ્ય પીરઝાદા ઉપસ્થિત રહેશે જેથી કરીને કાલે તા ૨/૯ ના રોજ સર્કિટ હાઉસના કોન્ફરન્સ હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મોરબી શહેરજીલ્લા અને તાલુકાનાં તમામ હોદેદારો તથા સામાજિક આગેવાનો કાર્યકર્તાઓને આહ્વાન કર્યું છે






Latest News