મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા લઈને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચંદ્રકિશોરભાઈ બાવલાભાઈ સોલંકી (૫૮) તેના પત્નીને એકટીવામાં પાછળના ભાગે બેસાડીને ગત તા. ૨૦/૮ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાને પાછળથી કોઈ અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે ચંદ્રકિશોરભાઈ સોલંકી તથા તેની પત્નીને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં મૃતક ચંદ્રકિશોરભાઈના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ પોતાના વેવાઈના ઘરે મોરબી આવ્યા હતા અને ત્યાંથી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને વધુ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે

દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એમટ્રીન કંપનીમાં રહેતા રોશનભાઈ હાફિઝમોહમ્મદ (ઉંમર ૧૮) બીમારી સબબ વધુ પડતી દવા પી જતા તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News