મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત


SHARE











મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું સારવારમાં મોત

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલ દંપતીના એકટીવાને પાછળથી અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું છે જેથી કરીને અકસ્માત મૃત્યુના બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે

બનાવની જાણમાં મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસેથી એક્ટિવા લઈને રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા ચંદ્રકિશોરભાઈ બાવલાભાઈ સોલંકી (૫૮) તેના પત્નીને એકટીવામાં પાછળના ભાગે બેસાડીને ગત તા. ૨૦/૮ ના સાંજના ૪:૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના એક્ટિવાને પાછળથી કોઈ અજાણ્યા બાઇક ચાલાકે હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે ચંદ્રકિશોરભાઈ સોલંકી તથા તેની પત્નીને ઇજાઓ થઈ હતી જેથી બંનેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન ચંદ્રકિશોરભાઈ સોલંકીનું મોત નીપજ્યું છે જેથી કરીને હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે અકસ્માતના બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે વધુમાં મૃતક ચંદ્રકિશોરભાઈના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓ પોતાના વેવાઈના ઘરે મોરબી આવ્યા હતા અને ત્યાંથી હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેઓને વધુ ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું છે

દવા પી જતા સારવારમાં

વાંકાનેર તાલુકાના લાલપર ગામ પાસે આવેલ એમટ્રીન કંપનીમાં રહેતા રોશનભાઈ હાફિઝમોહમ્મદ (ઉંમર ૧૮) બીમારી સબબ વધુ પડતી દવા પી જતા તેને પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News