મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના નિશાંત જાનીની અન્ડર-૧૯ મહિલા ટીમના બેટિંગ-ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક


SHARE







મોરબીના નિશાંત જાનીની અન્ડર-૧૯ મહિલા ટીમના બેટિંગ-ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાનીની સતત બીજા વર્ષે અન્ડર-૧૯ સિનિયર મહિલા ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા ICC લેવલ 3 માં પસંદગી થઈ છે.  જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે ICC લેવલ 3ની તાલીમ મેળવશે.  

મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના કોચ નિશાંત જાનીએ મોરબીમાં ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢ્યું છે. તેઓ આઈસીસી લેવલ 2ના કોચ અને બીસીસીઆઈ સર્ટિફાઈડ પેન કોચ છે. વર્ષ  2019-20 ની સીઝનમા વિનુ માંકડ અન્ડર-૧૯ ટ્રોફી અને રણજી ટ્રોફીમા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કોચ તરીકે કાર્યરત હતા અને એ સમયે ટીમની ઐતિહાસિક જીત પણ થઈ હતી.  ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૧-૨૨ સીઝનમા પણ નિશાંત જાનીને સિનિયર ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષમા અન્ડર -૧૯, અન્ડર -૨૩ અને મહિલાઓની સિનિયર ટીમ આ વર્ષ G1 ટુર્નામેન્ટ રમશે. ત્યારબાદ ટી-20 ટુર્નામેન્ટ અને વન ડેમાં ભાગ લેશે. જેને ધ્યાને લેતા આ સિઝનમાં રસાકસીનો રંગ જામશે. આ ઉપરાંત આ વર્ષે મહિલા આઇપીએલ પણ શરુ થવા જઈ રહી છે તો સૌરાષ્ટ્રમાંથી કોઈ મહિલા ક્રિકેટરની પસંદગી તેમાં થાય તેવો આશાવાદ પણ નિશાંત જાનીએ વ્યક્ત કર્યો હતો.  આ તકે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, લેવલ ૩ ના ફેકલ્ટી હિતેશ ગોસ્વામી, એમના ગુરુ ઉમેશ પટવાલ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો






Latest News