મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ


SHARE













હળવદના નવા માલણીયાદ ગામે ઘરની પાછળ ઘાસ કાઢવાનું કામ કરી રહેલા આધેડ ઉપર ધારિયા વડે હુમલો: આઠ સામે ફરિયાદ

હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે ઘરની પાછળના ભાગમાં ઘાસ કાઢવાની કામગીરી આધેડ કરી રહ્યા હતા ત્યારે ત્યાં પાછળના ભાગે રહેતા શખ્સોને તે સારું નહીં લાગતા ચાર મહિલા સહિત આઠ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આધેડને માથા અને પગમાં ધારિયાના ઘા ઝીકવામાં આવ્યા હતા તેમજ પાઇપ અને ધોકા વડે આધેડને તેમજ મહિલા સહિત અન્ય બે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ સહિતના ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ આધેડે ચાર મહિલા સહિત કુલ મળીને આઠની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહેતા ઘનશ્યામભાઈ માવજીભાઈ કંઝરિયા જાતે દલવાડી (ઉમર ૫૦) એ હાલમાં રતિલાલ મૂળજીભાઈ પરમાર, ભગવાનજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ મૂળજીભાઈ પરમાર, મુજીભાઇ હરજીભાઈ પરમાર, રૂખીબેન મૂળજીભાઈ પરમાર, મનિષાબેન કિશોરભાઈ પરમાર, ભાવનાબેન રતિભાઈ પરમાર અને ભગવાનજીભાઈના પત્નીની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ પોતાના ઘરની પાછળની શેરીમાં ઘાસ કાઢવાની કામગીરી કરી રહ્યા હતા જે આરોપીઓને સારું નહીં લાગતા રતિલાલ મૂળજીભાઈ પરમારે ધારિયા વડે તેના ઉપર હુમલો કરીને માથા તેમજ પગમાં ઘરિયાના બે ઘા માર્યા હતા તેમજ ભગવાનજીભાઈ, કિશોરભાઈ અને મૂળજીભાઈએ પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો અને સાહેદ ત્રિભોવનભાઈ અને કંચનબેનને કિશોરભાઈ, મનિષાબેન, ભાવનાબેન અને ભગવાનજીભાઈની પત્ની સહિતનાઓએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પથ્થરના છુટ્ટા ઘા કરીને ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા ઘનશ્યામભાઈ કંઝરિયા, કંચનબેન અને ત્રિભુવનભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ઘનશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર મહિલા સહિત આઠની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News