તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ


SHARE











મોરબી કલેકટરના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઇ

મોરબી જિલ્લા કલેકટર જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને સંકલન બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. આ સંકલન બેઠકનું સંચાલન કરતાં નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારે સીએમ ડેશ અંતર્ગત વિવિધ વિભાગોના પેન્ડિંગ પ્રશ્નો અંગે સંબંધિત વિભાગોએ ઝડપી જવાબ આપી આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા તાકીદ કરી હતી. વધુમાં એપ્રેન્ટિશિપ અંતર્ગત વિવિધ વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ-શ્રમ કાર્ડ અંગે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી તથા વધુને વધુ મજૂરોના આશ્રમ કાર્ડ બનાવવામાં આવે તેવી તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આગામી ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન ઈ-શ્રમ કાર્ડ માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં લમ્પી બાબતે પણ એક્ટિવ કેસ તથા રસીકરણ અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડીડીઓ એએસપી સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા






Latest News