મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું


SHARE











વાંકાનેરના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરે આઈ માં (પાણીધ્રા)-કથાકાર જીગ્નેશ દાદાએ શિવજીનું પૂજન અર્ચન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે ન માત્ર મોરબી જિલ્લા પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશમાંથી શિવ ભક્તો શ્રાવણ માસ દરમિયાન શિવજીનું પૂજન અર્ચન કરવા માટે થઈને આવતા હોય છે અને શિવજીનું પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવતા હોય છે ત્યારે વાત કરીએ તો કેશોદ તાલુકાના પાણીધ્રા ગામે આવેલ મોગલ ધામના આઈ માં (પાણીધ્રા) મોરબી નજીકના સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવ્યા હતા અને મહાદેવનું પૂજન અર્ચન તેઓએ કર્યું હતું અને સોમવારના દિવસે મહાદેવજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં નીકળતી હોય છે તે શોભાયાત્રામાં હાલમાં આઈ માં જોડાયા હતા આ તકે તેઓની સાથે મોરબી રાજપૂત સમાજના અગ્રણી દશુભા ઝાલા, મોરબી રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા (ચાંદલી) તેમજ જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિલાલ ત્રિવેદી અને લઘુ મહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના લોકો જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે કથાકાર જીગ્નેશ દાદા (રાધે રાધે) પણ શિવજીના દર્શન અને પૂજન કરવા માટે થઈને જડેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીનું પૂજન અર્ચન કર્યું હતું અને ધન્યતા અનુભવી હતી






Latest News