મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન


SHARE







મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન

મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે શનિવાર તા. ૨૭ ના રોજ સવારે ૯: ૩૦ થી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં ૧૨ કલાકે હરિભક્તો માટે ભંડારાનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળ મોરબીના પ્રમુખ રમાબેન પટેલનું મંડળ સુંદરકાંડના પાઠ કરાવશે. અને આ કાર્યક્રમ નાગેશ્વર મહાદેવના મુખ્ય યજમાન પદે યોજાશે અને વ્યવસ્થાપક તરીકે સજુભા દોલુભા જાડેજા સેવા આપી રહ્યા છે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ નિમંત્રણ પાઠવ્યું છે.

ભંડારો યોજાશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે તા ૨૫ ના રોજ મહાપ્રસાદ (ભંડારો) રાખેલ છે. જેથી કરીને શિવ ભક્જ્તો સહિતના લોકોને ભંડારનો પ્રસાદ લેવા માટે મહંત જીગ્નેશપરી બાપુ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News