મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સાડા પાંચ, હળવદમાં એક અને ટંકારામાં અડધો ઇંચ વરસાદ: નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા


SHARE











મોરબીમાં સાડા પાંચ, હળવદમાં એક અને ટંકારામાં અડધો ઇંચ વરસાદનીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

 મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોથી વરસાદે વિરામ લીધો હતો જો કે, ગઇકાલે ફરી પછી મેઘરાજાએ એન્ટ્રી મારી અને સાંજના પાંચેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના સાત વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને મહેન્દ્રપરા વિસ્તારમાં ગરતના પાણી અને વરસાદના પાણી લોકોના ઘર અને દુકાન સુધી આવી ગયા છે જેથી કરીને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે

મોરબીમાં ચાલુ વર્ષો ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન લોકો અને ખાસ કરીને ધરતી પુત્રો પણ મેઘરાજા મન મૂકીને મોરબી જિલ્લા ઉપર વરસે તેવી પ્રાર્થના કરી રહ્યા હતા દરમિયાન ગઇકાલે સાંજથી વરસાદી માહોલ મોરબી જિલ્લામાં હતો અને પાંચ પૈકીના ત્રણ તાલુકામાં વરસાદ પડ્યો છે જેથી કરીને અડધાથી લઈને પાંચ ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખૂબ સારો હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે

સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા વરસી રહ્યા છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે ઘણા જિલ્લાઓની અંદર મેઘમહેર ગઇકાલ સાંજથી શરૂ થયેલ છે અને મોરબી શહેર અને તાલુકામાં છેલ્લી ૨૪ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જેથી કરીને શનાળા રોડ, મહેન્દ્રપરા, અરૂણોદયનગર સહિતના વિસ્તારમાં વરસાદી પાણી રોડ ઉપર ભરાઈ ગયા છે

જેમાં ખાસ કરીને મહેન્દ્રપરામાં ગટરના પાણીનો નિકાલ બંધ હોવાથી ગટરના પાણી તો ભરેલા હતા જ તેવામાં તેના ઉપર વરસાદી પાણી પડવાથી હાલમાં લોકો પોતાના ઘર કે દુકાનમા ન રહી શકે તેવુ થઈ ગયું છે જો સરકારી ચોપડે નોંધાયેલ વરસાદી આંકડા ઉપર નજર કરીએ તો મોરબીમાં ૧૩૫ એમએમ, હળવદમાં ૨૬ એમએમ, ટંકારામાં ૧૪ એમએમ, માળીયામાં ૮ એમએમ અને વાંકાનેરમાં ૮ એમએમ વરસાદ છેલ્લી ૨૪ કલાકમાં નોંધાયો છે 






Latest News