મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલ્યા: ઘોડાધ્રોઈ અને ડેમી-૩ છલકું છલકું


SHARE











મોરબીના મચ્છુ-૩ ડેમના બે દરવાજા અડધો ફૂટ ખોલ્યા: ઘોડાધ્રોઈ અને ડેમી-૩ છલકું છલકું

મોરબી જિલ્લામાં સર્વત્ર મેઘ મહેર અને ક્યાંક ક્યાંક ભારે વરસાદના કારણે જિલ્લાની હદમાં આવેલા લગભગ તમામ ડેમમાં પાણીની ઓછા-વત્તા પ્રમાણમાં આવ શરૂ થઈ ગઈ છે. મોરબી જિલ્લાનો મચ્છુ-૩ ડેમ ભરાઈ ગયો હોવાથી મંગળવારે સવારે આ ડેમાં બે દરવાજાને અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને ઘોડાધ્રોઈ તેમજ ડેમી-૩ ડેમ પણ છલકું છલકું હોય નીચેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

સારા વરસાદના પગલે જિલ્લામાં વાવણી પણ સારી એવી થઇ ગયેલ છે અને તમામ વિસ્તારોમાં ખેતરોમાં હરિયાળા મોલ દેખાઈ રહ્યા છે. વાવણી લાયક વરસાદના કારણે ખેડૂતો કામે લાગ્યા છે. આભમાંથી કાચું સોનુ વરસ્યું છે ત્યારે ખેડૂતો હરખાઈ રહ્યા છે. ત્યારે મોરબીના મચ્છુ-૩ ના સેક્શન ઓફિસર બી.સી. પનારાના જણાવ્યા મુજબ ડેમમાં ૮૯૮ ક્યુસેક પાણીની આવક છે સામે બે દરવાજા અડધો ફૂટ ખોલીને એટલું જ એટલે કે ૮૯૮ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મોરબી અને માળીયા તાલુકાનાં ૨૧ ગામના લોકોને મચ્છુ નદીમાં ન જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે તેવી જ રીતે આ જીલ્લામાં આવેલ ઘોડાધ્રોઈ ડેમ અને અને ડેમી-૩ ડેમ પણ છલકું છલકું છે જેથી કરીને ગમે ત્યારે આ બંને ડેમના દરવાજા ખોલવા પડે તેવી શક્યતા છે જેથી કરીને આ ડેમની નીચેના વિસ્તારમાં આવતા ગામના લોકોને નદીના પટમાં ન જવા માટે સૂચન આપવામાં આવી છે






Latest News