મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

જીતુભાઈ સોમાણી આજથી માત્ર પ્રવાહી ઉપર ! : વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રીના મેદાન માટે ઉગ્ર બનતું આંદોલન


SHARE







જીતુભાઈ સોમાણી આજથી માત્ર પ્રવાહી ઉપર ! : વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રીના મેદાન માટે ઉગ્ર બનતું આંદોલન

વાંકાનેરમાં હાલમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા પ્રતિક ઉપવાસ ગઇકાલથી શરૂ કરવામાં આવેલ છે અને હજુ સુધી ગણેશઉત્સવ તથા નવરાત્રી ઉત્સવના મેદાન માટેનો કોઈ નિર્ણય લેવાં આવેલ નથી જેથી કરીને આજથી આંદોલન ઉગ્ર બન્યું છે અને જીતુભાઈ સોમાણી દ્વારા માત્ર પ્રવાહી લઈને આંદોલન ચાલુ રાખવામા આવશે.

જીતુભાઈ સોમાણીના કહેવા મુજબ વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી તે પહેલા ગત તા. ૩૦-૭ ના જનરલ બોર્ડની બેઠક હતી તેમા જન્માષ્ટમી, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માગ્યું હતું અને ૫૦૦૦ ના ટોકન ભાવે સર્વાનુમતે તે મંજુર કરવામાં આવ્યું હતું પણ હવે આ મેદાનની હરરાજી કરવા માટે પાલિકાના વહીવટદાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેથી કરીને તેઓએ ગઇકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે આ મેદાન માટે જેમના દ્વારા માંગણી કરવામાં આવી છે તે તમામ પાર્ટીઓને બોલાવીને વહીવટદાર દ્વારા મિટિંગ રાખવામા આવી હતી જેમાં તમામને સાથે રહીને આયોજન કરવા માટે કહ્યું હતું  જો કે, આખા ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યાં કોઈપણ જગ્યાએ મેદાન હરરાજી કરીને આપવામાં આવતા નથી તો પછી વાંકાનેરમાં હરરાજી માટેનો તખ્તો ગોઠવીને શા માટે જે શક્ય જ નથી તેવી વાતો કરવામાં આવે છે..? તેવા સવાલ સાથે આજથી જીતુભાઈ સોમાણી દ્વારા મેદાનની માંગણી માટેનું આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું છે અને તેઓ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની ઉજવણી માટેના આજથી મેદાન માટે માત્ર પ્રવાહી ઉપર જ રહેશે તેવી તેમણે જાહેરાત કરેલ છે.






Latest News