મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ ખસેડાઇ


SHARE











મોરબીમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાઈ લેતા રાજકોટ ખસેડાઇ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતી પટેલ પરણીતાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને બેભાન હાલતમાં મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ છે અને હાલ તે બેભાન હલતમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ સામે ભરતનગર વિસ્તારમાં રહેતા અર્ચનાબેન અંકિતભાઈ સબાપરા જાતે પટેલ નામની ૨૮ વર્ષીય પરણીતાએ તેના ઘેર ગત તા.૧૯-૮ ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેણીને બેભાન હાલતમાં અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલ રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.હાલ અર્ચનાબેન સબાપરા બેભાન હાલતમાં હોય બનાવ કયા કારણોસર બન્યો તે ખુલાસો થયો નથી.વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ અર્ચનાબેનના લગ્ન છ વર્ષ પહેલા અંકિત સબાપરા સાથે થયેલા છે અને લગ્નજીવન દરમિયાન હાલ તેઓને કોઈ સંતાન નથી.હાલ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા જસમતભાઈ હરખાભાઈ (૪૦) અને ગણેશભાઈ મંગળાભાઈ (૩૪) નામના બે યુવાનો ટુ-વ્હીલરમાં જતા હતા ત્યારે રાજકોટ રોડ ઉપર અજંતા ક્લોક પાસે અકસ્માતે ઇજાઓ થવાથી બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ સોનગઢ ગામે રહેતો ધર્મેશ કાળુભાઈ રંગપરા નામનો ૧૩ વર્ષીય તરૂણ બાઈકમાં બેસીને જતો હતો તે દરમિયાનમાં તેઓનું બાઈક સ્લીપ થઇ જતા ઇજાઓ થતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.તેમજ મોરબીના વીરપર ગામે રહેતા હેમંત ઉર્ફે હિતેશ ધારાભાઈ ભૂંમરીયા જાતે રબારી નામના ૨૪ વર્ષના યુવાનને મોરબીમાં યદુનંદન સોસાયટીમાં આવેલ મોમાઈ ડેરી પાસે અજાણ્યા ઇસમ દ્વારા માર મારવામાં આવતા ઇજાગ્રસ્ત થયેલા હેંમત રબારીને સારવારમાં ખસેડાયો હતો.

દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન તાલુકાના તરણેતર ગામે રહેતા મહિપાલ માવજીભાઈ સારદીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ અકળ કારણસર ઝેરી દવા પી લેતા તેને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ સંદર્ભે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના રાણીપાટ ગામે રહેતો મેહુલ હેમુભાઇ મકવાણા નામનો ૨૧ વર્ષીય યુવાન કોઈ અગમ્ય કારણોસર ખળ બાળવાની દવા પી જતા તેને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો અને મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આઈનાબાનુ રિયાઝભાઈ ડેલા નામની ૨૦ વર્ષની મહિલા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત થયેલા આઈનાબાનુને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News