મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

જીતુભાઈ સોમાણી આજથી માત્ર પ્રવાહી ઉપર ! : વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રીના મેદાન માટે ઉગ્ર બનતું આંદોલન


SHARE











જીતુભાઈ સોમાણી આજથી માત્ર પ્રવાહી ઉપર ! : વાંકાનેરમાં ગણેશોત્સવ-નવરાત્રીના મેદાન માટે ઉગ્ર બનતું આંદોલન

વાંકાનેરમાં હાલમાં ગણેશોત્સવ અને નવરાત્રી માટે મેદાનનો મુદો ચર્ચા સ્પદ બનેલ છે અને ભાજપના આગેવાન જીતુભાઈ સોમાણી દ્વારા પ્રતિક ઉપવાસ ગઇકાલથી શરૂ કરવામાં આવેલ છે અને હજુ સુધી ગણેશઉત્સવ તથા નવરાત્રી ઉત્સવના મેદાન માટેનો કોઈ નિર્ણય લેવાં આવેલ નથી જેથી કરીને આજથી આંદોલન ઉગ્ર બન્યું છે અને જીતુભાઈ સોમાણી દ્વારા માત્ર પ્રવાહી લઈને આંદોલન ચાલુ રાખવામા આવશે.

જીતુભાઈ સોમાણીના કહેવા મુજબ વાંકાનેર પાલિકાને સુપર સીડ કરવામાં આવી તે પહેલા ગત તા. ૩૦-૭ ના જનરલ બોર્ડની બેઠક હતી તેમા જન્માષ્ટમી, ગણેશઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માગ્યું હતું અને ૫૦૦૦ ના ટોકન ભાવે સર્વાનુમતે તે મંજુર કરવામાં આવ્યું હતું પણ હવે આ મેદાનની હરરાજી કરવા માટે પાલિકાના વહીવટદાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે જેથી કરીને તેઓએ ગઇકાલથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે અને તેના ભાગરૂપે આ મેદાન માટે જેમના દ્વારા માંગણી કરવામાં આવી છે તે તમામ પાર્ટીઓને બોલાવીને વહીવટદાર દ્વારા મિટિંગ રાખવામા આવી હતી જેમાં તમામને સાથે રહીને આયોજન કરવા માટે કહ્યું હતું  જો કે, આખા ગુજરાતમાં જેટલી પણ જગ્યાએ ગણેશોત્સવ અને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યાં કોઈપણ જગ્યાએ મેદાન હરરાજી કરીને આપવામાં આવતા નથી તો પછી વાંકાનેરમાં હરરાજી માટેનો તખ્તો ગોઠવીને શા માટે જે શક્ય જ નથી તેવી વાતો કરવામાં આવે છે..? તેવા સવાલ સાથે આજથી જીતુભાઈ સોમાણી દ્વારા મેદાનની માંગણી માટેનું આંદોલન ઉગ્ર બનાવવામાં આવ્યું છે અને તેઓ હિન્દુ ધર્મના પવિત્ર તહેવારોની ઉજવણી માટેના આજથી મેદાન માટે માત્ર પ્રવાહી ઉપર જ રહેશે તેવી તેમણે જાહેરાત કરેલ છે.






Latest News