મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪મી ઓગસ્ટે મોરબી જિલ્લાના પ્રવાસે


SHARE











રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪મી ઓગસ્ટે મોરબી જિલ્લાના પ્રવાસે

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ૧૪ ઓગસ્ટના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ સવારે ૯ કલાકે ઉમિયા સર્કલ, શનાળા રોડ ખાતે મોરબી નગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજીત હર ઘર તિરંગા સંદર્ભે ૧૦૮ ફૂટ ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ તથા અન્ય વિકાસ કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને બપોરે ૧૨ કલાકે મોરબીમાં સ્ટેશન રોડ ખાતે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન, દિન દયાલ અંત્યોદય યોજના અન્વયે લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૭:૦૦ કલાકે નહેરૂ ગેઈટ ખાતે લાઇટિંગ શો તથા અન્ય વિકાસ કામોના ખાતમુહુર્ત/લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તિરંગા લહેરાવવા જયસુખભાઈ પટેલની અપીલ

રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા તમામ નાગરિકોને અપીલ કરતાં ઑરેવા ગૃપના ઓનરશ્રી જયસુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ આઝાદ થયા ને ૭૫ વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાષ્ટ્રમાં આઝાદીન કા અમૃત મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હર ઘર પર તિરંગા લહેરાવવા અપીલ કરી છે તેણે હવે હર ઘર તિરંગા મહાઅભિયાનનું રૂપ ધારણ કર્યું છે. લોકો સ્વયં રીતે આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન મોરબીની જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે, દરેક ઘર તથા તમામ જગ્યાઓએ સાથે મળીને તિરંગો લહેરાવીએ અને ચાલો આઝાદી કા અમૃત મહોત્સવને સાર્થક બનાવીએ.

પ્રેમસ્વામીજીની લોકોને અપીલ

મોરબી સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વામીજીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે મોરબીની જનતાને ઘર ઘર પર તિરંગો લહેરાવવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણે આ વર્ષને સમગ્ર રાષ્ટ્રમાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રવ્યાપી હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યુ છે. તો આપણે સૌએ પણ તિરંગો લહેરાવવો જોઈએ તેવી અપીલ કરેલ છે






Latest News