મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં


SHARE











રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસે રાત્રિ દરમિયાન પસાર થતા બાઇકને અજાણ્યા વાહને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતી અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાંથી દંપતીનું મોત નીપજ્યું છે અને બાળક સહિતના બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હોય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે આવી જ રીતે મૂળ એમપીના રંગપુરા ગામના રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાનાં વધારવા ગામે મૂળરાજસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વેલસિંગભાઇ મંગલસિંગભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉમર ૩૩) અને તેના પત્ની રજીબેન વેલસિંગભાઈ રાઠવા (ઉમર ૩૦) તેમના દીકરા મનીષ વેલસિંગ (ઉમર ૫) અને કૌટુંબિક સાળા માનસિંગભાઈ સાથે એક જ બાઈક ઉપર વાધરવા ગામથી બહાર ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે રાત્રિના આગિયારેક વાગ્યાના અરસામાં વીરવિદરકા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને તેઓના બાઈકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દંપતી અને તેનો દીકરો સહિતના ચારેયને ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ વેલસીંગભાઇ રાઠવા તથા તેમના પત્ની રજીબેન રાઠવાનું મોત નીપજયું હતું. જોકે માનસિંગભાઈ અને વેલસીંગભાઇના દીકરા મનીષને ઇજાઓ થયેલ હોવાથી પ્રથમ તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા માળીયા પોલીસ મથકના સંજયભાઇ બાલાસરા અને રાયટર કિશોરભાઈ છૈયા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રક્ષાબંધન હોવાથી રજીબેન રાખડી બાંધવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતનો બનાવ બનતા દંપતિનું મોત નીપજયું છે અને બાળક સહિત બે વ્યક્તિઓ હાલમાં રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.જેથી કરીને માળીયા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે આગળની તજવીજ શરૂ કરેલ છે.






Latest News