મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં


SHARE











રક્ષાબંધને કાળનો ભેટો: માળીયા (મી)ના વિરવિદારકા પાસે બાઇકને અજાણ્યા વાહને હડફેટે લેતા દંપતીનું મોત, બાળક સહિત બે સારવારમાં

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ વીર વિદરકા ગામના પાટીયા પાસે રાત્રિ દરમિયાન પસાર થતા બાઇકને અજાણ્યા વાહને લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ દંપતી અને બાળક સહિતના ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાંથી દંપતીનું મોત નીપજ્યું છે અને બાળક સહિતના બે વ્યક્તિઓ સારવાર હેઠળ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસે અકસ્માતના બનાવની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

ગઈકાલે રક્ષાબંધનનો દિવસ હોય બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે આવી જ રીતે મૂળ એમપીના રંગપુરા ગામના રહેવાસી અને હાલમાં માળીયા તાલુકાનાં વધારવા ગામે મૂળરાજસિંહ જાડેજાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતાં વેલસિંગભાઇ મંગલસિંગભાઈ રાઠવા જાતે આદિવાસી (ઉમર ૩૩) અને તેના પત્ની રજીબેન વેલસિંગભાઈ રાઠવા (ઉમર ૩૦) તેમના દીકરા મનીષ વેલસિંગ (ઉમર ૫) અને કૌટુંબિક સાળા માનસિંગભાઈ સાથે એક જ બાઈક ઉપર વાધરવા ગામથી બહાર ગયા હતા અને ત્યાંથી પરત આવતા સમયે રાત્રિના આગિયારેક વાગ્યાના અરસામાં વીરવિદરકા ગામના પાટીયા પાસે અજાણ્યા વાહને તેઓના બાઈકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં દંપતી અને તેનો દીકરો સહિતના ચારેયને ઇજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ વેલસીંગભાઇ રાઠવા તથા તેમના પત્ની રજીબેન રાઠવાનું મોત નીપજયું હતું. જોકે માનસિંગભાઈ અને વેલસીંગભાઇના દીકરા મનીષને ઇજાઓ થયેલ હોવાથી પ્રથમ તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હોવાનું જાણવા મળેલ છે. વધુમાં આ બનાવની તપાસ કરી રહેલા માળીયા પોલીસ મથકના સંજયભાઇ બાલાસરા અને રાયટર કિશોરભાઈ છૈયા પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે રક્ષાબંધન હોવાથી રજીબેન રાખડી બાંધવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતનો બનાવ બનતા દંપતિનું મોત નીપજયું છે અને બાળક સહિત બે વ્યક્તિઓ હાલમાં રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.જેથી કરીને માળીયા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે આગળની તજવીજ શરૂ કરેલ છે.






Latest News