મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદમાં યંગ ઇન્ડિયા દ્વારા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે


SHARE











હળવદમાં યંગ ઇન્ડિયા દ્વારા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે

દેશ આઝાદ થયોને ૭૫ વર્ષ પુરા થતા આ રાષ્ટ્રીય પર્વમાં ભારતીયો જોડાતા હોય છે ત્યારે હર ઘર તિરંગાને સાર્થક કરવા માટે સરકારી તંત્ર અને આગેવનો જહેમત ઉઠાવી રહ્યા છે તેવી જ રીતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હળવદમાં  વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી ૧૩ ઓગસ્ટે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળશે.

હળવદમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી અને વિવેકાનંદ સાયન્સ એકેડમી-હળવદ દ્વારા આગામી ૧૩  ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેક લોકોમાં દેશના સ્વંભિમાનના પ્રતીક તિરંગાથી રાષ્ટ્ પ્રત્યેની કૃતજ્ઞતા જાગૃત કરવા આશરે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડીનંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો પર ફરીને દરેક લોકોમાં દેશ પ્રત્યે કઈ કરી છુંટવાની ભાવના જાગૃત કરાશે. ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેદેશની આનબાન અને શાન ગણાતા તિરંગાની રક્ષા માટે આપણા દેશના જાબાઝ સૈનિકોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે તિરંગો જ્યારે લહેરાય ત્યારે દરેક ભારતવાસીઓ આપોઆપ ઉભા થઈને નત મસ્તકે સલામી આપે છે.તેથી દેશના ક્રાંતિવીર અને બોર્ડર ઉપર લડતા જવાનો જેવી જ રાષ્ટ્ભાવના આ તિરંગાથી આપણા દરેકમાં જાગૃત થાય તે માટે આ સરાહનીય પ્રયાસ કરાયો છે.

બાળકોને ભોજન કરાવ્યુ

મોરબીમાં દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું ખાસ કરીને દુધથી વાંચીત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિતનાઓને દૂધપાક-પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.






Latest News