મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !


SHARE











વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને અપક્ષ પાલિકાને સુપર સિડ કરવામાં આવતા આજે ભાજપના હોદેદારો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારયો હતો

મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની જે વરણી કરવામાં આવી ત્યારથી જ આ નગરપાલિકા વિવાદનું ઘર બની ગઇ હોય તેમ વારંવાર કોઈને કોઈ કારણોસર વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનતી હતી દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી વાંકાનેર પાલિકાના પ્રમુખઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતોને લઈને કારણે દર્શક નોટિસો આપવામાં આવી હતી અને આ પાલિકાને ગમે ત્યારે સરકાર સુપર સીડ કરશે તેવા એંધાણો દેખાઈ રહ્યા હતા તેવામાં સરકારે શનિવારે મોડી સાંજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો આદેશ કર્યો હતો હતો જેથી કરીને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તાત્કાલિક અસરથી વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરને સીલ કરી હતી અને રેકોર્ડ બુક તથા ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ભાજપના રાજભા ઝાલા સહિતના આગેવાનો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરીને સરકારના આ નિર્ણયને એકમેકના મોઢા મીઠા કરવાનીને આવકારવામાં આવ્યો હતો અને પાલિકામાં અપક્ષની બોડીનું કુશાસન  સરકારના ધ્યાન ઉપર આવતા  સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News