મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના સોની બજાર વિસ્તારમાં સામસામી મારામારી - ફરિયાદ નોંધાઈ


SHARE











મોરબીના સોની બજાર વિસ્તારમાં સામસામી મારામારી ; ફરિયાદ નોંધાઈ

મોરબીના સોની બજાર વિસ્તારમાં બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં સામસામે મારામારી થયા બાદ ફરિયાદો નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નગર દરવાજા વિસ્તારમાં આવેલ ગ્રીનચોક પાસે સોની બજારની પારેખ શેરીના શ્રીજી એપાર્ટમેન્ટમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં ઇજાઓ થવાથી માધુરીબેન ડેનીશભાઈ સોની (૨૫) અને સામેના પક્ષના ક્રિપાલસિંહ તખુભા પરમાર (૩૫) અને જીનલબેન કલ્પેશ ચૌહાણ (૨૨) નામના ત્રણ લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બાદમાં આ બનાવ અંગે રસીલાબેન હરેશભાઈ છબીલભાઈ પાટડીયા સોની (૪૫) રહે.શ્રીજી એપાર્ટમેન્ટ પારેખ શેરીવાળાએ સામેવાળા ક્રિપાલસિંહ પરમાર સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓની દિકરી માધુરીબેનની સાથે સામેવાળા ઝઘડો કરતા હોય અને તેમની દીકરીને માર માર્યો હતો.જ્યારે સામાપક્ષેથી ક્રિપાલસિંહ પથુભા પરમાર જાતે દરબાર (૩૫) રહે. શ્રીજી એપાર્ટમેન્ટ પારેખશેરી વાળાએ માધુરીબેન ડેનીશભાઈ સોનીના સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યું હતું કે તેઓની દિકરી માધવીબેન સાથે સામેવાળા માધુરીબેને બોલાચાલી ઝઘડો કર્યો હતો અને તેણીને મૂઢ માર માર્યો હતો જે અંગે એ ડિવિઝન પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા દેવરાજભાઈ જશાભાઇ પરમાર નામના ૬૦ વર્ષીય વૃદ્ધ આમરણ ગામ પાસે આવેલ બજરંગ હોટલ પાસેથી તેઓનું બાઇક લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે તેમને હડફેટે લેતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા.બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામે મહાદેવ મંદિર પાછળ રહેતા કેતારીલાલ બાલકિશન રામ નામના ૪૫ વર્ષીય યુવાનને મારામારીના બનાવમાં ઇજાઓ થતા ૧૦૮ વડે યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ઝેરી દવા પી જતા સારવારમાં|

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો અશ્વિન છગનભાઈ જાકાસણીયા નામનો ૩૨ વર્ષીય યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો.જેથી કરીને તેને સારવાર માટે અહીં મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરવામાં આવેલ છે.






Latest News