મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત


SHARE







વાંકાનેર નજીક ઈલેક્ટ્રીકનું કામ કરતાં યુવાનને વીજ શોર્ટ લગતા મોત

વાંકાનેર નજીક આવેલ સીરામીક કારખાના પાસે યુવાન ઈલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ત્યાં તેને વીજશોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે રહેતો અર્જુનસિંહ ભુપતસિંહ બારીયા (ઉમર ૩૦) નામનો યુવાન વાંકાનેર નજીક આવેલ કયુટોન સીરામીક પાસે ઇલેક્ટ્રીકનું કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન તેને વીજશોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને અરવિંદસિંહ બારીયા રહે.ભોજપરા તા.વાંકાનેર વાળા હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા અકસ્માતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાથ કપાઈ જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામ પાસે આવેલ પેપર મિલમાં કામ દરમ્યાન હાથ મશીનમાં આવી ગયો હોવાથી મજુર યુવાનને સારવારમાં લઇ જવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે અબ્દુલસમાર ઈકબાલભાઈ નામનો ૨૨ વર્ષીય પરપ્રાંતિય મજૂર યુવાન કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન તેનો હાથ મશીનમાં આવી જતા હાથ કપાઈ ગયો હતો.જેથી કરીને તેને ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લઇ જવાયો હતો.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહ પરમાર દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર સોસાયટીના ગીતાંજલી હાઈટમાં રહેતા શાંતિલાલ લક્ષ્મણભાઈ પનારા નામના ૫૧ વર્ષીય આધેડ વાહનમાં જતા હતા ત્યારે તેઓને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા તે અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના અજીતસિંહે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે






Latest News