મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે ૨૦૦ થી વધુ મૃત ગૌવંશોના મૃતદેહનો ૨૪ કલાકમાં યોગ્ય નિકાલ ન થાય તો કલેક્ટર કચેરીએ કોંગ્રેસના ધરણાં


SHARE







મોરબીના જોધપર પાસે ૨૦૦ થી વધુ મૃત ગૌવંશોના મૃતદેહનો ૨૪ કલાકમાં યોગ્ય નિકાલ ન થાય તો કલેક્ટર કચેરીએ કોંગ્રેસના ધરણાં

મોરબીના જોધપર પાસે મૃત ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવ્યા છે જેના સમાચાર ઝી ૨૪ કલાકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને આજે તાલુક અને જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો સ્થળ ઉપર ગયા હતા અને ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા હતા જેથી કરીને આ ગૌવંશોના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવા માટે કલેક્ટરને ૨૪ કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ગૌવંશોના મૃતદેહનો નિકાલ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો કલેક્ટર કચેરી સામે ધારણા કરવાની ચીમકી ઉચ્ચારી છે

ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો બન્યા છે ત્યારે મોરબી જિલ્લો પાનાં તેમાંથી બાકાત નહીં અને અનેક ગૌવંશોના છેલ્લા દિવસોમાં મોરબી જીલ્લામાં પણ મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે અને મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૨૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ છે તેવું જાણવા મળ્યું છે અને આ અંગેના સમાચાર ઝી ૨૪ કલાકમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા જેથી કરીને આજે મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરૂ, તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી.પડસુંબિયા, અશ્વિનભાઈ વિડજા, હનીફભાઇ પાયક, ચેતનભાઈ એરવાડીયા સહિતના આગેવાનો જોધપર ગામની સીમમાં પહોચ્યા હતા 

ત્યાં ૨૦૦ જેટલા ગૌવંશોને રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવ્યા હતા તે જોઇને સ્થળ ઉપરથી જ કોંગ્રેસનાં આગેવાનોએ કલેક્ટર સહિતના અધિકારીઓને ફોન કરીને રજડતી હાલતમાં જે મૃતદેહને ફેંકવા આવેલ છે તેનો યોગ્ય રીતે ૨૪ કલાકમાં નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો ગૌવંશોના મૃત્યુનો મલાજો નહીં જળવાઈ અને તેના મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે ધારણા કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને અહી મૃત ઢોરને લઈને આવતા વ્યક્તિ સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મોરબી પાંજરાપોળ, સતનામ ગૌશાળા, યદુનંદન ગૌશાળા સહિતના જગ્યાઓએ મૃત્યુ પામતા ગૌવંશોના મૃતદેહને ત્યાં લઈને આવે છે અને ત્યાં ખાડા ખોદી આપવા માટે અવાર નવાર અધિકારીને કહ્યું છે તો પણ કોઈ કામ કરતું નથી અને તાલુકાના પશુ અધિકારી સાથે વાત કરતાં તેને કહ્યું હતું આ રીતે મૃત પશુને ફેંકવા તે યોગ્ય નથી જેથી તેનો સાયંટિફિકલી નિકાલ થાય તેના માટેની તે વ્યવસ્થા કરાવશે






Latest News