મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ


SHARE











મોરબીના પંચાસર ગામે કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ ગ્રામજનો સાથે સાંભળ્યો મન કી બાત કાર્યક્રમ

દેશના લોકપ્રીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે ભારતભરમા મન કી બાતનો કાર્યક્રમ પ્રસારિત કરવામા આવે છે.મોરબી તાલુકામા દરેક શકિતકેન્દ્ર દિઠ "મન કી બાત ટીફીન કે સાથ" કાર્યક્રમ યોજાય છે.

પંચાસર ગામે ગુજરાત સરકારના વન, પર્યાવરણ, કલાઇમેન્ટ ચેન્જ, છાપકામ, કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયા, સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, નાથુભા ઝાલા, વેલજીભાઇ (બોસ સિરામીક), તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાંસદડીયા,નરેન્દ્રસિંહ ઝાલા, બચુભાઇ ગરચર, સિધ્ધરાજસિંહ જાડેજા, લાલજીભાઇ સોલંકી, નિતેશ બાવરવા, જીજ્ઞેશ કાનાણી, ઉમેશ ગોધવીયા, પંચાસર સરપંચ ભગીરથસિંહ, માણેકવાળા સરપંચ બ્રીજરાજસિંહ, રમેશભાઇ કાનાણી, નવધણભાઇ, વસંત ટુંડીયા, મોટી વાવડી સરપંચ ભગીરથસિંહ જાડેજા સૌએ સાથે મળી પ્રધાનમંત્રીની મન કી બાત નિહાળી હતી.કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ મન કી બાત બાબતે જણાવ્યું કે, વડાપ્રધાન દેશના ખુણે ખુણે બનતી ભારતને ગૌરવ અપાવતી ધટના હોય કે રમતવિરોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની વાત કે નાના નાના રમકડા બનાવતા ગરીબ શ્રમિકનો ઉલ્લેખ જરુર મનકી બાત કાર્યક્રમમા કરતા હોય છે.જેમાંથી સૌને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિધ્ધ કરવાની પ્રેરણા મળે છે.મંત્રી )એ તમામ દેશવાસીઓને દર મહિનાના છેલ્લા રવિવારે સવારે ૧૧ વાગે મન કાં બાતનો કાર્યક્રમ ટીવી સ્કીન ઉપર નિહાળવો જોઇએ એવી અપિલ કરી હતી.પંસાસર-શિવનગર ગામના આગેવાનોએ મંત્રીનુ ઢોલ નગારા સાથે સ્વાગત તેમજ વિશિષ્ટ સન્માન કર્યુ હતું.

 






Latest News