મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો


SHARE











મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ ત્રિભોવનભાઈ વિડજાએ તા.૩૧-૭-૨૨ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં તેમનો વિદાય સન્માન સમારંભ શાળા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કો.ઓર્ડિનેટર રમેશભાઈ  હુંબલ, તાલુકા શાળાનાં આચાર્ય પુષ્પાબેન સોલંકી, ગૌશાળા પ્રા. શાળાના નિવૃત્ત આચાર્ય પ્રફુલભાઈ જોષી, નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ ગોંડલિયા હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાધેલા, વિદ્યાર્થિની વૈભવી નાગલાણી અને વિદ્યાર્થી તીર્થ સવાડિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.ઉપસ્થિત સર્વે મહેમાનોએ વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને ચંદુલાલ વિડજાને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.તો ચંદુલાલ વિડજાએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરીને રૂા.૧૧ હજૈરની કિંમતનું બ્લ્યૂ સ્ટાર કંપનીનું વોટર કૂલર શાળાને ભેટ આપ્યું હતું. ક્રાર્યકમનું સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું.ચંદુભાઈ વીરજા અગાઉ નીલકંઠ વિદ્યાલયના સંચાલક તરીકે પણ કાર્યરત હતા.






Latest News