મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો


SHARE











મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ વિડજાનો સ્વૈચ્છિક નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુલાલ ત્રિભોવનભાઈ વિડજાએ તા.૩૧-૭-૨૨ ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતાં તેમનો વિદાય સન્માન સમારંભ શાળા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો.જેમાં સીઆરસી કો.ઓર્ડિનેટર રમેશભાઈ  હુંબલ, તાલુકા શાળાનાં આચાર્ય પુષ્પાબેન સોલંકી, ગૌશાળા પ્રા. શાળાના નિવૃત્ત આચાર્ય પ્રફુલભાઈ જોષી, નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ ગોંડલિયા હાજર રહ્યા હતા.શાળાના આચાર્ય જલ્પેશભાઈ વાધેલા, વિદ્યાર્થિની વૈભવી નાગલાણી અને વિદ્યાર્થી તીર્થ સવાડિયાએ પ્રસંગને અનુરૂપ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા.ઉપસ્થિત સર્વે મહેમાનોએ વિદાયમાન શિક્ષકનું હવે પછીનું શેષ જીવન આરોગ્યમય, દીર્ઘાયુ અને પ્રવૃત્તિમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.શાળાના સ્ટાફ પરિવાર તરફથી શ્રીફળ, પડો, સાલ અને ભેટ આપીને ચંદુલાલ વિડજાને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.તો ચંદુલાલ વિડજાએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરીને રૂા.૧૧ હજૈરની કિંમતનું બ્લ્યૂ સ્ટાર કંપનીનું વોટર કૂલર શાળાને ભેટ આપ્યું હતું. ક્રાર્યકમનું સંચાલન સંજય બાપોદરિયાએ કર્યું હતું.ચંદુભાઈ વીરજા અગાઉ નીલકંઠ વિદ્યાલયના સંચાલક તરીકે પણ કાર્યરત હતા.






Latest News