મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે જાહેરમાં ફેંકી દેવામાં આવેલ ૧૦૦ થી વધુ ગૌવંશના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા: લોકોમાં અરેરાટી


SHARE











મોરબીના જોધપર પાસે જાહેરમાં ફેંકી દેવામાં આવેલ ૧૦૦ થી વધુ ગૌવંશના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા: લોકોએ અરેરાટી

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવી રહ્યા છે જેથી સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહે છે હાલમાં એક બાજુ લંપી વાયરસના કારણે ગૌવંશોના ટપો ટપી મોત થઈ રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે એકી સાથે અંદાજે ૧૦૦ કરતાં વધુના ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે જેને કુતરા ફાડી ખાતા હોય માનવ મૃત્યુનો મલાજો પણ ગૌમાતા માટે ન જળવાતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે અને અનેક ગૌવંશોના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો સરકારી ચોપડે નોંધાયેલ ગૌવંસોના મૃત્યુના આંકડા ઉપર નજર કરીએ તો લગભગ ૮૦ જેટલા ગૌવંશોના મૃત્યુ સમગ્ર મોરબી જિલ્લામાં નોંધાય છે તેવું મોરબી જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે જોકે બીજી બાજુની વાત કરીએ તો મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે.

જેથી કરીને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંતોને રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવ્યા હોવાથી શિકારી કુતરા સહિતના જાનવરો તેને ફાડી ખાતા હોય ત્યારે સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટે તેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે અને ત્યારે આવી રીતે રજડતી હાલતમાં મૃતદેહનો નિકાલ કરવામાં આવતા ગૌવંશોના મૃત્યુનો મલાજો પણ ન જળવાતો હોય તેવો ઘાટ સર્જાયો છે જેથી આ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે લંપી વાયરસની સાથો સાથ અન્ય રોગચાળો અને બીમારી પણ આવી રીતે આડેધડ ગૌવંશોના મૃતદેહનો નિકાલ કરવાના કારણે ફેલાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી હવે જોવું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ અને તંત્ર ક્યારે હરકતમાં આવે છે.  #lampi #Gow #morbitoday #smogujrat #harssangvi #kamlam #crpatil #narendramodi #congres






Latest News