મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે !, લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર: શંકરસિંહ વાઘેલા


SHARE











ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે !, લઠ્ઠાકાંડ માટે સરકાર જ જવાબદાર: શંકરસિંહ વાઘેલા

મોરબીમાં સામાજીક કાર્યક્રમમાં ગુજરાતનાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આવ્યા હતા ત્યારે તેની સાથે વાત કરતાં તેઓએ તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડ મુદદે સરકારને સીધી જ જવાબદાર ઠેરવી હતી અને કહ્યું હતું કે, ગુજરાતમાં કૃત્રિમ દારૂબંધી છે જેથી તે ભષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે અને પોલિટિકલ બેગ્રાઉંડ હોય તે જ અધિકારી હપ્તારાજમાં જીવતા હોય છે.

મોરબીમાં યોજાયેલ એક સામાજીક કાર્યક્રમમાં માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનો આવ્યા હતા ત્યારે બાદ શંકરસિંહ વાઘેલા સાથે વાત કરતાં તેઓએ સરકાર ઉપર નિશાન ટાંક્યુ હતું અને કહ્યું હતું કે, તાજેતરમાં થયેલ લઠ્ઠાકાંડ માટે સરકાર સીધી જ જવાબદાર છે અને ગુજરાતમાં જે અધિકારોને પોલિટિકલ બેગ્રાઉન્ડ હોય તે જ અધિકારીઓ આ હપ્તાશાહીમાં જીવતા હોય છે અને લઠ્ઠાકાંડ પછી માત્ર અધિકારીઓની બદલી કરવી તે કોઈ વિકલ્પ નથી અને "લઠ્ઠાકાંડમાં અધિકારીઓનો નહીં પરંતુ તે અધિકારોના માલિકોનો વાંક છે" અને કોઈપણ વિસ્તારમાં હલકી કક્ષાનો દારૂ પીને કોઈ મરી જાય તો તે લોકોના બાપનું શું જાય છે..? આજની તારીખે દિવ, દમણ, ઉદેપુર, મુંબઇમાં દારૂ મળે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી કૃત્રિમ છે અને તે ભ્રષ્ટાચારનો ભોરિંગ બની ગયેલ છે.






Latest News