મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ


SHARE











મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ

મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં લંમ્પીએ માથુ ઊંચક્યું છે જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશો તેની ઝપેટમાં આવ્યા છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં શહેરી વિસ્તારમાં પણ ગૌવંશોના મૃત્યુ થઈ રહ્યા છે જોકે કોરોનાની માફક જ મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે નવી વાસ્તવિકતા છે. તેની વચ્ચે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ ગૌશાળામાં હાલમાં વાયરસના લીધે મુખ્ય નંદીનો ભોગ લેવાયો હતો જેથી કરીને ગૌવંશ તરીકે હિન્દુ સંસ્કૃતિ મુજબ ગૌશાળાના આ નંદીની આમરણ ગૌશાળા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નંદીની સમાધિ આપવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગૌવંશને નરમ આંખે વિદાય આપી હતી.હાલમાં આ ગૌશાળામાં ૩૦૦ જેટલા આબોલ જીવોને સાચવવામાં આવી રહ્યા છે જે પૈકીના અમુક પશુઓમાં આ પ્રકારની બીમારી જોવા મળી હોય તે અંગે પણ ગ્રુપ દ્વારા સેવાચાકરી કરવામાં આવી રહી છે.






Latest News