મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ


SHARE







છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરાયેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢણીયા તેમજ સ્ટાફ પ્કયત્નશીલ હતો તે દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ-૨૦૧૬ માં આઇપીસી કલમ -૩૬૩, ૩૬૬ (અપહરણ) અને એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫) ના ફરાર આરોપી ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામી  જાતે બાવાજી (ઉ.વ.૩૦) રહે. ગામ જહાંગીરપુર, તહસીલ બડોદ, જી, અગર, મધ્યપ્રદેશ વાળો મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમી મળેલ જેને આધારે એક ટીમ બનાવીને આરોપી બાબતે તપાસ કરવા રવાના કરેલ હોય જેથી પીએસઆઇ વી.કે.કોઠીયા તથા ટીમના માણસોએ મધ્યપ્રદેશના બડોદ તાલુકાના જહાંગીરપુર ખાતે જઇ તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામા ફરાર ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ કોઠીયા તથા સ્ટાફના દિલીપભાઇ ડેડાણી, જયપાલસિંહ ઝાલા તથા યશવંતસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News