વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર
Breaking news
Morbi Today

વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો


SHARE











વાંકાનેર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપીને એસઓજીએ શોધી કાઢયો
 

વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં સાત વર્ષ પહેલા નોંધાયેલા મર્ડરના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપીને મોરબી એસઓજીએ શોધી કાઢયો હતો.

સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝ ગુજરાત રાજય ગાંધીનગરના મહાનિદેશક દ્રારા નાસતા ફરતા આરોપીઓ પકડવા ડ્રાઇવ રાખવામાં આવી હતી જે અન્વયે મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ સુચના કરેલ હોય મોરબી એસઓજી પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસઓજીનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હતો તે દરમ્યાન શેખાભાઇ મોરી તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ ખાનગી બાતમી આધારે વાંકાનેર સીટી પોલીસ મથકે વર્ષ-૨૦૧૪ માં નોંધાયેલ આઇપીસી કલમ ૩૦૨(મર્ડર), ૩૦૭, ૫૦૪ ના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર આરોપી શીવાભાઇ કાનજીભાઇ ભાટી વણઝારા (ઉ.વ.૩૨) ધંધો મજુરી રહે.વીસીપરા ધમલપુર તા.વાંકાનેર જી.મોરબી હાલ રહે. ધરાનગર જુનાગઢ વાળો વાંકાનેરના ચંદ્રપુર ગામના નાલા પાસેથી મળી આવતા તેને પકડી પાડીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરી એસઓજી સ્ટાફના રસિકભાઇ કડિવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઇ જોગરાજીયા, શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર, સતિષભાઇ ગરચર, ભાવેશભાઇ મિયાત્રા, ડ્રાઇવર સંદિપભાઇ માવલા ચથા પ્રિયંકાબેન પૈજાએ કરી હતી.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News