મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત મોરબીમાં અડાણે મુકેલા ઘરેણા બાબતે સામસામે મારામારી, સાત ઇજાગ્રસ્તો પૈકી બે રાજકોટ ખસેડાયા
Breaking news
Morbi Today

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ


SHARE











છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.

મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરા દ્રારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરાયેલ હોય ડીવાયએસપી રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને સત્વરે પકડી પાડવા મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢણીયા તેમજ સ્ટાફ પ્કયત્નશીલ હતો તે દરમ્યાનમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ-૨૦૧૬ માં આઇપીસી કલમ -૩૬૩, ૩૬૬ (અપહરણ) અને એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫) ના ફરાર આરોપી ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામી  જાતે બાવાજી (ઉ.વ.૩૦) રહે. ગામ જહાંગીરપુર, તહસીલ બડોદ, જી, અગર, મધ્યપ્રદેશ વાળો મધ્યપ્રદેશના જહાગીરપુર ગામે હોવાની બાતમી મળેલ જેને આધારે એક ટીમ બનાવીને આરોપી બાબતે તપાસ કરવા રવાના કરેલ હોય જેથી પીએસઆઇ વી.કે.કોઠીયા તથા ટીમના માણસોએ મધ્યપ્રદેશના બડોદ તાલુકાના જહાંગીરપુર ખાતે જઇ તપાસ કરતા છેલ્લા પાંચ વર્ષથી અપહરણના ગુનામા ફરાર ઇશ્વરગીરી માંગીલાલગીરી ગોસ્વામીને પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી પીઆઇ ગોઢાણીયા, પીએસઆઇ કોઠીયા તથા સ્ટાફના દિલીપભાઇ ડેડાણી, જયપાલસિંહ ઝાલા તથા યશવંતસિંહ ઝાલા દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News