વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વામી વિવેકાનંદ પરીક્ષા લક્ષી નિવાસી તાલીમના સંચાલન માટે કો-ઓર્ડિનેટરની નિમણુંક કરાશે


SHARE











મોરબીમાં સ્વામી વિવેકાનંદ પરીક્ષા લક્ષી નિવાસી તાલીમના સંચાલન માટે કો-ઓર્ડિનેટરની નિમણુંક કરાશે

ગુજરાતના યુવાનોનું સંરક્ષણદળોમાં પ્રતિનિધિત્વ વધે તે હેતુથી રોજગાર વિનિમય કચેરી, મોરબી  દ્વારા  “સ્વામી વિવેકાનંદ પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના હેઠળ મોરબી જિલ્લા ખાતે એક માસના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે

જેના સમગ્ર સંચાલન માટે કો-ઓર્ડિનેટરની રૂ. ૨૦,૦૦૦/- ના ફિક્સ વેતનથી એક માસ માટે ભરતી કરવા, સંરક્ષણદળ/પોલીસ/ તાલીમ અને રોજગાર ખાતાના સંલગ્ન  કામગીરીના અનુભવી અથવા કોઇપણ પ્રવાહમાં ગ્રેજ્યુએટની લાયકાત ધરાવતા, પુરુષ ઉમેદવારો    (દિવ્યાંગો સિવાય) પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ કામગીરી માટે રસ ધરાવતા ઉમેદવારોએ રોજગાર કચેરી, મોરબી ખાતેથી અરજી પત્રકો મેળવી, જરૂરી વિગતો ભરીને, શૈક્ષણિક લાયકાત/અનુભવના પ્રમાણપત્રો સાથે  રોજગાર વિનિમય કચેરી, નવુ સેવા સદન, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી ખાતે તા:૧૨/૦૮/૨૦૨૨  સુધીમાં જમા કરાવવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News