મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે


SHARE







મોરબીની શાળામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા કરાવશે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરાશે

મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ૩૧ જુલાઈના રોજ સવારે ૯:૦૦ કલાકે શ્રી મ.જી. મહેતા સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર તેમજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે અટલ ટીકરીંગ લેબનો શુભારંભ કરવામાં આવશે.

આ તકે મંત્રી સાથે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશભાઈ રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરતભાઈ વિડજા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી દિનેશભાઈ ગરચર, રોબોટાસ્ક ટેકનોલોજીના સી.ઈ.ઓ. ડો. પાર્થભાઈ ભાવસાર તેમજ સરસ્વતી શિશુમંદિર-મોરબીના મુખ્ય વ્યવસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, સરસ્વતી શિશુમંદિર-મોરબીના નિયામક સુનિલભાઈ પરમાર, માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠનના પ્રમુખશ્રી ડૉ. બાબુભાઈ અઘારા અને  શાળાના સંચાલકશ્રીઓ, વ્યવસ્થાપકશ્રી તેમજ સ્ટાગણ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી કેળવાય તે હેતુથી કેન્દ્ર સરકારે નક્કી કરેલા માપદંડોમાં ખરી ઉતરીને શાળાને આ લેબ ફાળવવામાં આવી છે. આ લેબ અંતર્ગત ભૌતિક વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના અભ્યાસમાં ઉપયોગી પ્રયોગ માટેની વિપુલ સાધન સામગ્રીથી સજ્જ લેબ આ શાળામાં તૈયાર થઈ ગઈ છે જેનો વિદ્યાર્થીઓને લાભ મળશે.

રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા રવિવારે મોરબીમાં

વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા મોરબી જિલ્લાના પ્રવાસે આવનાર છે. તેઓ ૩૧ જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, પંચાસર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૩૦ કલાકે પંચમુખી હનુમાનજી મંદિર, વેજીટેબલ રોડ, મોરબી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

મંત્રી બ્રિજેશભાઇ મેરજા મોરબી જિલ્લાના પ્રવાસે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઇના બે દિવસના મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. મંત્રી બ્રિજેશભાઇ મેરજા ૩૧મી જુલાઈ-૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૩૦ કલાકે મોરબી શીશુમંદિર ખાતે સ્થાનિક કાર્યક્રમમાં તેમજ સવારે ૧૦:૩૦ કલાકે વાંકાનેર ખાતે મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૦૪:૦૦ કલાકે શ્રી ઉમીયા ક્લાસ ફોરમ દ્વારા આયોજીત વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે. આગામી તા.૧/૮ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે મોરબી ખાતે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા રખાયેલ રાખી મેળોનું લોકાર્પણ કાર્યક્રમ તથા સવારે ૧૦:૩૦ કલાકે મોરબી જિલ્લા પંચાયત દ્વારા ટ્રેકટર, ટ્રોલી અને જેટીંગ મશીન વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨:૦૦ કલાકે જુના ઘાંટીલા ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે.






Latest News