ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં નટરાજ રેલવે ફાટકે ૮૯.૩૧ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ


SHARE











 

મોરબીમાં નટરાજ રેલવે ફાટકે ૮૯.૩૧ કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ

શ્રમ, રોજાગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરના નટરાજ રેલવે ફાટક પાસે નિર્માણ પામનાર ઓવરબ્રિજ માટે અગાઉ ૮૦ કરોડની તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી. હવે નવી મંજૂરી મુજબ ૮૯.૩૧ કરોડના ખર્ચે આ ઓવરબ્રિજ નિર્માણ પામશે.

વહિવટી મંજૂરી બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, શહેરમાંથી પસાર થતા લગભગ તમામ વાહનો નટરાજ રેલવે ફાટક પાસેથી પસાર થાય છે. ટ્રેન પસાર થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. ઓવરબ્રિજ બનતા ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશે અને શહેરીજનોની સુવિધામાં વધારો થશે.

સોલાર ઊર્જાથી  અનેક ફાયદા

સરકાર દ્વારા વિજળીનો બચાવ થાય તથા ગ્રીન ઊર્જા તેમજ રિન્યુએબલ ઊર્જા દ્વારા પ્રકૃતિના સંવર્ધન હેતુ ઊર્જા વિભાગ હેઠળ સોલાર રૂફ ટોપ યોજના અમલમાં મૂકી છે જે અન્વયે સોલાર રૂફ ટોપ યોજનાના લાભાર્થી મોરબીના કે.પી. નગવાડિયા જણાવે છે કે, પરંપરાગત ઊર્જા સ્ત્રોતનો જો આવી જ રીતે ઉપયોગ તેમજ વેડફાટ થતો રહ્યો તો આવતી પેઢી માટે શું વધશે તે પ્રશ્ન છે. આ સમસ્યાનો શ્રેષ્ઠ વિકલ્પ છે સોલાર ઊર્જા. હું છેલ્લા ત્રણ વર્ષથી સોલાર રૂફ ટોપ દ્વારા વીજળીનું ઉત્પાદન કરી રહ્યો છું. સોલાર પેનલ લગાવવા માટે સરકારની સબસીડી પણ મળી હતી. હવે સોલાર પેનલ લગાવવાના ખર્ચનું વળતર તો મળી જ ગયું છે સામે એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ ગયો છે






Latest News