મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ


SHARE











મોરબીના સનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી પરણીતાને તેના પતિ દ્વારા ગાળો આપીને માર મારવામાં આવતો હતો જેથી હાલમાં તેણે પતિ, સાસુ અને સસરા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ૯૫૫ માં રહેતા ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણ (ઉંમર ૩૮)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિશાલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ, સસરા નરેન્દ્રભાઈ લખધીરભાઈ ચૌહાણ અને સાસુ ઇલાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કોઈ કામ ધંધો કરતા ન હોય તેને કામ ધંધો કરવા માટેનું કહ્યું હતું તેમજ તેના પતિ તેઓને ઘર કામ બાબત અને અન્ય બાબતે અવારનવાર ગાળો આપતા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેના સાસુ તેમજ સસરા દ્વારા તેના પતિને ચડામણી કરવામાં આવતી હોવાથી તેના પતિને દ્વારા તેને મેણાટોણાં મારીને ગાળો આપવામાં આવતી હતી આમ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરણીતાએ તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના દરબારગઢ પાસે રહેતા ઈન્દુલાલ સોમચંદ ગાંધી (ઉંમર ૮૦) વાળા ચાલીને પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ઇકો કારના ચાલકે તેને ઠોકર મારી હતી જેથી ઈન્દુલાલભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News