મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE











મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના શનાળા રોડ પર આવેલ વોકળામાં વરસાદી પાણીનો ચોમાસામાં નિકાલ થાય છે અને બાકીના મહિનાઓમાં ત્યાં ગંદકી હોય છે જેથી કરીને આ ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા માટે અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે ત્યાં પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબી વૈદ સભાના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શનાળા રોડે ગુરુ દત્તાત્રેય મંદિર સામેના વોકળામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી કરીને દર વર્ષે ચોમાસામાં ત્યાંની દીવાલ તોડવામાં આવે છે  અને ફરી પછી દીવાલ બનાવવામાં આવે છે જેથી કરીને વારંવાર દીવાલ તોડવાને બદલે ત્યાંની ગંદકી દૂર કરવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વોકળા ઉપર  સ્લેબ ભરીને ત્યાં વાહન પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે દર વર્ષે કરવામાં આવતો ખર્ચ બંધ થઈ જશે ને લોકોની સુવિધામાં વધારો થશે






Latest News