મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત


SHARE













મોરબીના શનાળા રોડે ગંદકી દૂર કરીને સુવિધા વધારવા માટે ચીફ ઓફિસરને રજૂઆત

મોરબીના શનાળા રોડ પર આવેલ વોકળામાં વરસાદી પાણીનો ચોમાસામાં નિકાલ થાય છે અને બાકીના મહિનાઓમાં ત્યાં ગંદકી હોય છે જેથી કરીને આ ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા માટે અને લોકોની સુવિધામાં વધારો કરવા માટે ત્યાં પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી મોરબી વૈદ સભાના પ્રમુખ દ્વારા ચીફ ઓફીસરને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈધસભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, શનાળા રોડે ગુરુ દત્તાત્રેય મંદિર સામેના વોકળામાં વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી કરીને દર વર્ષે ચોમાસામાં ત્યાંની દીવાલ તોડવામાં આવે છે  અને ફરી પછી દીવાલ બનાવવામાં આવે છે જેથી કરીને વારંવાર દીવાલ તોડવાને બદલે ત્યાંની ગંદકી દૂર કરવામાં આવે અને લોકોની સુવિધામાં વધારો થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, વોકળા ઉપર  સ્લેબ ભરીને ત્યાં વાહન પાર્કિંગ અને લઘુશંકા કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે તે દર વર્ષે કરવામાં આવતો ખર્ચ બંધ થઈ જશે ને લોકોની સુવિધામાં વધારો થશે






Latest News