મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલમાં હાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરીને મોરબી જીલ્લામાં આવતી માળિયાધ્રાંગધ્રા  અને મોરબી બ્રાંચમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં નર્મદા યોજનાની ત્રણ બ્રાંચ કેનાલ આવેલ છે. જેમાં માળિયાધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચનો સમાવેશ થાય છે. હાલમાં ખેડૂતો આગોતરા વાવેતર કરવા માટે ઘણા સમયથી પાણી માગી રહ્યા છે. અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયામોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજપૂર્વ મંત્રી જયંતીભાઈ કાવડિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પણ પાણી આપવા વિનતી કરેલ છે

અમુક વિસ્તારના લોકો આ માટે અંદોલન પણ કરી રહ્યા છે. અને આ પૂર્વે ૨૦૧૩ માં સરકાર દ્વારા હાલના ડેમના ૧૧૯ મી.  લેવલ કરતા પણ નીચું લેવલ ૯૩ મી. હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ હતું જે સરકારના રેકોર્ડમાં હશે અને અગામી ચોમાસું સારું જવાની આગાહીઓ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો પણ ખેડૂતોને કેનાલ મારફતે પાણી કેમ આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં નર્મદા ડેમ ભરેલ છે અને તે પાણી ખેડૂતોને નહીં આપવામાં આવે અને પછી વરસાદનું પાણી આવશે તે દરિયામાં વહી જશે જેથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News