મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો

મોરબીના જેતપર રોડ ઉપર ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવમાં બન્યો હતો જે બનાવમાં ઘવાયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ઋષિકેશ વિદ્યાલય નજીક રહેતો અક્ષય રમેશભાઈ સોરઠીયા નામના ૨૫ વર્ષના યુવાનને જેતપર રોડ ઉપર પીપડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી. અક્ષય મોટરસાયકલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં કોઈ વાહન સાથે તેની અથડામણ થતાં ગંભીર હાલતમાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ગતરાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં ખસેડાયો હતો જયાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઇલ પી લેતા યુવાન સારવારમાં

મોરબીની લીલાપર ચોકડી પાસે રાજેશ દિલીપભાઇ અઘારા નામના ૩૧ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના કે.એમ.સોલગામાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નાની વાવડી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજીઓ થતા જયેશ વાલજીભાઇ સોલંકી નામના ૧૮ વર્ષના યુવાનને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોય તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News