ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ પછી બનાવજો પહેલા ગંદકી દુર કરવો: રમેશભાઈ રબારી


SHARE











મોરબીની મચ્છુ નદીમાં રિવરફ્રન્ટ પછી બનાવજો પહેલા ગંદકી દુર કરવો: રમેશભાઈ રબારી

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઇ રબારીએ ધારાસભ્ય  બ્રિજેશભાઈ મેરજાને લેખિત રજૂઆત કરીને મોરબી શહેરની મચ્છુ નદી ઉપર રીવર ફ્રન્ટ બનાવતા પહેલા મચ્છુ નદીની ગંદકી સાફ કરીને તેમાં ઉગી નિકળેલ ગાંડી વેલ કઢાવી માટેની માંગ કરેલ છે  

મોરબી શહેરમાં આવેલ મચ્છુ નદી હાલમાં ગંદકીથી ખદબદે છે અને તેમાં ગાંડી વેલ ઉગી નિકળેલ છે ત્યારે તાજેતરમાં ધારાસભ્ય દ્વારા મચ્છુ નદી ઉપર રીવર ફન્ટ બનાવવાની જાહેરાત કરેલ છે જેથી કરીને કોંગ્રેસના આગેવાન રમેશભાઇ રબારીએ તેને આવકારી છે અને એવિ ટકોર કરી છે કે, રીવરફ્રન્ટની સુવિધા મોરબીવાસીઓને કયારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ આ મચ્છુ નદી મોરબીની પ્રજા માટે આસ્થાનું કેન્દ્ર છે અને નદીની બાજુમાં જ મચ્છુ માતાજીનું મંદિર, મહાપ્રભુજીની બેઠક, સ્વામિનારાયણ મંદિર, શંકર આશ્રમ, વોરાનો હજીરો, વીસીપરા વિસ્તારમાં મેલડી માતાજીનું મંદિર, કેશવાનંદ બાપુનો આશ્રમ આવા અનેક ધાર્મિક સ્થળો મચ્છુ કાંઠે આવેલ  છે ત્યાં દર્શને અનેક લોકો આવે છે ત્યારે મચ્છુ નદીની ગંદકી જોઈ લોકોનું માથું શરમથી ઝૂકી જતું હોય છે ત્યારે તમે મચ્છ નદીની ગંદકીને સાફ કરાવવાના બદલે મોરબીની પ્રજાને રીવરફન્ટ બનાવવાનું સપનું બતાવો છો મચ્છુ નદી ઉપર આવેલ મયુર પુલ ના ઉદ્ઘાટન સમયે આજના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબી મચ્છુ નદીમાં ઝુલતા પુલ પાસે આવેલ પાજને ઉચી બનાવવા જે તે વખતના અધિકારીઓને તેમજ કોન્ટ્રાકટરોને સૂચના આપેલ હતી તે સુચનાનો અમલ આજદિન સુધી થયેલ નથી ત્યારે રીવરફ્રન્ટના સપના કયારે પૂરા થશે તે તો આવનારો સમય જ બતાવશે જો કે, હાલમાં મચ્છુ નદીની ગંદકીની સાફ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News