મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલા યુવાને રાજકોટ ખસેડાયો

મોરબીના જેતપર રોડ ઉપર ગત મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવમાં બન્યો હતો જે બનાવમાં ઘવાયેલા યુવાનને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઇ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ગુજરાત હાઉસિંગ બોર્ડની પાછળ આવેલ ઋષિકેશ વિદ્યાલય નજીક રહેતો અક્ષય રમેશભાઈ સોરઠીયા નામના ૨૫ વર્ષના યુવાનને જેતપર રોડ ઉપર પીપડી નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી. અક્ષય મોટરસાયકલ લઈને જતો હતો ત્યાં રસ્તામાં કોઈ વાહન સાથે તેની અથડામણ થતાં ગંભીર હાલતમાં તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ગતરાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં ખસેડાયો હતો જયાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ફિનાઇલ પી લેતા યુવાન સારવારમાં

મોરબીની લીલાપર ચોકડી પાસે રાજેશ દિલીપભાઇ અઘારા નામના ૩૧ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના કે.એમ.સોલગામાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના નાની વાવડી ગામે થયેલ મારામારીના બનાવમાં ઇજીઓ થતા જયેશ વાલજીભાઇ સોલંકી નામના ૧૮ વર્ષના યુવાનને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હોય તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News