મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચોકડી નજીક કારખાનામાં દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ 


SHARE







મોરબીના પીપળીયા ચોકડી નજીક કારખાનામાં દાઝી ગયેલી મહિલા રાજકોટ ખસેડાઇ 

મોરબીના નવલખી હાઇવે પીપળીયા ચોકડી પાસે આવેલા કારખાનામાં ભુસામાં ચાલતાં પગ ભાગે દાજી ગયેલી મહિલાને હાલમાં સારવારમાં રાજકોટ ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ ઈટાલી કંપની નામના યુનિટમાં રહેતા અને મજૂરી કામ કરતાં હંસાબેન મહેશભાઈ જોશી નામની ૪૫ વર્ષીય મહિલા ગત તા.૧૦-૭ ના સવારે સાતેક વાગ્યે કંપનીની અંદર ભુસાના ઢગલામાંથી ચાલીને જતા હતા ત્યારે પગ અને સાથળના ભાગે દાઝી જતા તેઓને મોરબીની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતાં અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા રાજકોટથી તપાસના કાગળો આવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ વાણીયા સોસાયટીમાં રહેતો રમેશ ભીખાભાઈ પરમાર નામના ૨૭ વર્ષીય યુવાને ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ પ્રાથમિક તપાસ કરતા તેમા ખુલ્યુ હતુ કે રમેશ પરમારે કોઈ પાસેથી અમુક રૂપિયા હાથઉછીના લીધા હતા જે પરત આપવાના થતા હતા પણ તેની પાસે પૈસાની સગવડ ન હોય તે બાબતે તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોય હાલ તે હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.

મહિલા સારવારમાં 

મોરબીના રવાપર ગામે આવેલ બોનીપાર્ક વિસ્તારમાં બનેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી વિરલબેન ધર્મેશભાઈ રામાનુજ નામની ૩૮ વર્ષીય મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી.જ્યારે મોરબીના વેજલપર ગામે રહેતા કાનજીભાઈ રામજીભાઈ ઝીંઝુવાડીયા નામનો યુવાન મોરબીના સામાકાંઠે રામધન આશ્રમ નજીકથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં બાઈક આડે કુતરૂ ઉતરતાં તેનું બાઈક સ્લીપ થઈ જવાથી કાનજીભાઈ ઝિંઝુવાડીયાને આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News