મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

નર્મદાની કેનાલોને જોઈને રાતપાણીએ રોતા ખેડૂતો !: મોરબી જીલ્લાના ધરતીપુત્રોમાં શરૂ થયો ગણગણાટ !  


SHARE











નર્મદાની કેનાલોને જોઈને રાતપાણીએ રોતા ખેડૂતો !: મોરબી જીલ્લાના ધરતીપુત્રોમાં શરૂ થયો ગણગણાટ !  

કેન્દ્રમાં ભાજપની સરકાર આવી તેના ગણતરીના દિવસોમાં જ કેન્દ્ર સરકારે નર્મદા ડેમ ઉપર પાટિયા મૂકવાની મંજૂરી આપી હતી જેથી કરીને તાત્કાલિક તે કામ કરવામાં આવ્યું હતું અને આજ દિન સુધી તે કામગીરીના કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગુણગાન ગાવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબી જિલ્લાના ખેડૂતોમાં હાલમાં એક જ મુદાની ચર્ચા ગામોગામ થાય છે કે, નર્મદા ડેમમાં પાટિયા ચડિયા ન હતા ત્યારે અહીના ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાની કેનલોમાંથી પાણી આપવામાં આવતું હતું અને હાલમાં કેનાલ કોરી કટ પડી છે !” જેથી કરીને અહીના ખેડૂતોને પાટિયા ચડવાથી ફાયદા કરતાં નુકશાન વધુ થયું છે અને હવે ખેડૂતોના હિત માટે સરકાર સામે બાથ ભીડે તેવા નેતા પણ મોરબી જીલ્લામાં રહ્યા નથી ?

છેવાડાના ગામના ખેડૂતોને પણ સીંચાઈના પાણીનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાની કેનાલો કરોડો નહીં પરંતુ અબજો રૂપિયાના ખર્ચે પાથરવામાં આવી છે અને તેના મારફતે ખેડૂતોને ઉનાળાના છેલ્લા દિવસોમાં ચોમાસનું આગોતરું વાવેતર કરવા માટે પાણી આપવામાં આવે છે જેથી કરીને ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ ખેડૂતોના ખેતરોમાં લીલીચાદર જોવા મળતી હોય છે જો કે, મોરબી જીલ્લામાં ખેડૂતોના ખેતરો સુધી ચાલુ વર્ષે સિંચાઇ માટેનું પાણી પહોચ્યું નથી જેથી કરીને મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળીયા, મોરબી અને ધ્રાંગધ્રા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોમાં છેલ્લા ઘણા દિવસોથી કેનાલ કોરી કટ હોવાથી ગણગણાટ શરૂ થઈ ગયો છે અને અગાઉની જેમાં ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવશે પછી જ ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પાણી આપવામાં આવશે કે કેમ તે પ્રશ્ન છે

મોરબી જિલ્લાના ખેડૂતોને ચોમાસુ પાકના આગોતરા વાવેતર માટે સિચાઈનું પાણી મળી અત્યારે આપવામાં આવે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે નહીં તો વરસાદ પછી જો વાવણી કરવામાં આવે તો મોટાભાગના ખેડૂતોના બિયારણ અને ખાતરના ખર્ચા માથે પડે તેવી શ્ક્યતા છે મોરબી જીલ્લામાં હાલમાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલ અત્યારે જ્યારે ખેડૂતોને પાણીની જરૂર છે ત્યારે ખાલી પડી છે અને જો આગોતરા વાવેતર પાણી કેનાલમાંથી પાણી ન મળે તો ચોમાસુ પાક લેવો ખેડૂતો માટે મુશ્કેલ બની રહેશે કેમ કે, પહેલા વરસાદ પછી સામાન્ય રીતે વાવણી કરવામાં આવે છે અને બાદમાં વધુ કે ઓછો વરસાદ થાય તો ખેડૂતોની મહેનત અને ખર્ચા માથે પડે છે અને તેઓ દેણના ડુંગર નીચે દબાઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબી જીલ્લાના ખેડૂતોમાં કરવામાં આવતા ગણગણાટ મુજબ નર્મદાની જે ત્રણ કેનાલ આવે છે તેમની માળિયા કેનાલમાં કાર્યરત કરવામાં આવી ત્યારથી લઈને આટયર સુધીમાં મોટાભાગે ક્યારે પણ બંધ કરવામાં આવી નથી તે હક્કિત છે અને જયારે પણ બંધ કરવામાં આવી હોય ત્યારે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવે એટ્લે ગણતરીના દિવસોમાં કેનાલના છેવાડાના ગામ સુધી અધિકારીઓએ દ્વારા પાણી પહોચડવામાં આવ્યું છે અને નર્મદાની મચ્છુ કેનાલ તેમજ ધ્રાંગધ્રા કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને પાણી મોટાભાગે કેનાલમાંથી પાણી મળ્યું છે

જો કે, નર્મદા ડેમમાં અગાઉ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે જે પાટિયા ચડિયા ન હતા અને ગુજરાતની સાથે અન્ય કરવામાં આવી રહયો હતો તેવું ભાજપની સરકારના તે સમયના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા જો કે, તેને કેન્દ્રમાં સત્તા સાંભળીને ગણતરીના દિવસોમાં નર્મદા ડેમે પાટિયા ચડાવવા માટેની મંજૂરી આપી હતી અને પાટિયા ચડિ પણ ગયા છે તો ડેમમાં પાણીની ક્ષમતા વધી હોય તો પછી કેનાલમાં પાણી કેમ આપવામાં આવતું નથી તે સો મણનો સવાલ છે અને હાલમાં કેનાલ કોરી કટ છે જેથી કરીને ખેડુતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકશે નહિ માટે નર્મદા ડેમમાં પાટિયા ફિટ કરવામાં આવ્યા પછી પણ કેનાલમાં પાણી આવતું નથી તો પણ અહીના કોઈ નેતા તે મુદે બોલતા પણ નથી જેથી કરીને હવે ખેડૂતોનું હિત વિચારે અને તેના હિત માટે લડાયક બને તેવા કોઈ નેતા મોરબી જીલ્લામાં નહીં રહ્યા તેવી ચર્ચાએ જોર પકડ્યું છે






Latest News