મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્યને ઊના વિધાનસભા બેઠકમાં બૂથ મેનેજમેન્ટ મજબૂતની જવાબદારી સોપાઈ


SHARE











મોરબીના માજી ધારાસભ્યને ઊના વિધાનસભા બેઠકમાં બૂથ મેનેજમેન્ટ મજબૂતની જવાબદારી સોપાઈ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા ભાજપે કમર કસી છે અને એ માટેની રણનીતિના ભાગરૂપે બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવાની યોજના અંતર્ગત મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાને ૯૩-ઉના વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે અને તેમણે તા. ૨/૬ થી ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને ઉના બેઠકના વિસ્તારમાં તા ૩ થી ૫ સુધી પ્રવાસનું આયોજન કર્યું છે અને ઉના શહેર, ઉના તાલુકો તથા ગીર ગઢડા તાલુકા મંડલના હોદ્દેદારો સાથે ત્રણેય મંડલની કારોબારી બેઠકો ગુજરાત તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના કામોની મુલાકાત, વિવિધ મોરચા સેલની બેઠકો, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યઓ સાથે બેઠકો, આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન ઉપરાંત અન્ય ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. અને ગીર ગઢડા અને ઉના તાલુકા પંચાયતો ઉપરાંત ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન છે આ વિસ્તારમાં આવતી તમામ જિલ્લા પંચાયત બેઠકો ભાજપ હસ્તકની છે. ૨૦૧૯ ની લોકસભામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારને આ વિસ્તારમાંથી ૨૮૩૮૩ મતની સરસાઇ પ્રાપ્ત થઈ હતી. અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ સરસાઈ જળવાઈ રહે અને ઉનામાં ભાજપનો વિજય વાવટો ફરકાય તે માટે કાંતિભાઈ અમૃતિયા પક્ષની યોજના પ્રમાણે પોતાની આગવી ઢબથી કાર્યરત છે.






Latest News