મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા હળવદના જુના દેવળીયા ગામ પાસે નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલના સાયફનમાં બાકોરનું પાડનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કારખાનામાં એર કમ્પ્રેસરથી શરીરમાં હવા ભરી દેતા યુવાન સારવારમાં મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!


SHARE











મોરબીમાં નિરાધાર વૃદ્ધ-વિધવાઓને નથી મળ્યું આઠ માસથી પેન્શન ?!

સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ અને વિધવાઓને પેન્શન આપવામાં આવે છે જો કે, મોરબીમાં છેલ્લા આઠ મહિનાથી આ પેન્શન આપવામાં આવ્યું નથી જેથી કરીને મોરબી નગરપાલીકા વોર્ડ નં.-૪ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી. શિરોહીયા અને વર્તમાન કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ  શિરોહીયા દ્વારા વિધવા પેન્શન તાત્કાલિક આપવા માટે સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે કે, મોરબી જીલ્લાના ૭૦૦ વિધવા તથા વૃધ્ધને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી અને લોકોને ધક્કા થઈ રહ્યા છે ત્યારે પેન્શન પર નભતા પરિવારોને તાત્કાલિક પેન્શનની રકમ આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News