મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના આરોગ્યનગરમાં જુગાર રમતા ચાર પકડાયા: એક ફરાર


SHARE











વાંકાનેરના આરોગ્યનગરમાં જુગાર રમતા ચાર પકડાયા: એક ફરાર

વાંકાનેર શહેરમાં આરોગ્યનગર શેરી નંબર-૪ માં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી અને પોલીસે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા અને તેઓની પાસેથી ૧૨૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને એક જુગારી નાસી છૂટતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરના આરોગ્યનગર શેરી નંબર-૪ માં કિશનભાઇ ખીરૈયાના મકાન પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી કિશનભાઇ અશોકભાઈ ખીરૈયા (૨૮), શૈલાશભાઈ છનાભાઈ શંખેશ્વરીયા (૨૭), જયપાલસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા (૨૯) અને મનોજભાઈ જગદીશભાઈ શંખેશ્વરીયા (૩૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૨૨૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસને જોઈને જીતો મેરૂભાઈ કોળી રહે.  આરોગ્યનગર વાળો નાસી છૂટતા તેને પકડવા માટે તેને પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News