મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ


SHARE







માળીયા (મિ)ના મોટા દહીસરાથી કૃષ્ણનગર-કુંતાસી જવાના રસ્તા ઉપર નાલાના કામ કરવાની કોંગ્રેસની માંગ

માળીયા મિયાણા તાલુકાના કૃષ્ણનગર અને મોટા દહીસરા ગામ પાસે અકે નાલાનું કામા ચાલુ છે અને એક નાળુ જર્જરિત છે જેથી કરીને જે કામ ચાલુ છે તેને તાત્કાલિક પૂર્ણ કરવા માટે અને જે કામા કરવાની જરૂર છે તેના માટે મોરબી જીલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતીભાઇ પટેલ દ્વારા મોરબી જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર લેખિત રજૂઆત કરીને માળીયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામ થી કુંતાસી ગામ તરફ જવાના રસ્તા ઉપર નાલા પુલિયાનું કામ ચાલુ છે તે અધૂરું કામ હોવાને કારણે લોકોને ચોમાસા દરમિયાન હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી જ રીતે કૃષ્ણનગર ગામથી મોટા દહીસરા ગામ તરફ જવાના રસ્તા ઉપર જર્જરિત નાલુ હોવાથી તે પણ ચોમાસામાં મુશ્કેલી સર્જે તેમ છે જેથી આગામી ચોમાસા પહેલા આ ચાલુ કામને તાત્કાલિક અસરથી કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News